SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વર્ણ- અતિ બિભત્સ ભીષણ અને મલિન હોય છે. ભીષણ એટલે ભયંકર. ઉત્પન્ન થવાના નરકાવાસો બારી જાળી વગરના અશુચિવાળા એટલે ભયંકર વાસ મારે એવા પુદ્ગલોથી યુક્ત એટલે વિષ્ટા અને પરૂ જેવા પુદ્ગલોથી યુક્ત એવી ભૂમિતલવાળા નરકાવાસો હોય છે. ગંધ- જ્યાં રહેતા હોઈએ ત્યાં ચારે બાજુ સિંહ, વાઘ વગેરેનાં મરેલા કલેવરો પડેલા હોય અને તે ગંધાઈ ઉઠે એટલે એક દિવસ, બે દિવસ, અઠવાડીયા પંદર દિવસથી ગંધાઇ ઉઠે અને જેવી દુર્ગધ મારે તેનાથી પણ અધિક અશુભતર દુર્ગધવાળા પુદ્ગલોથી યુક્ત હોય છે. ૭ રસ- લીમડાની ગળોથી પણ અત્યંત કટુ રસવાળા હોય છે. ૮ સ્પર્શ- અગ્નિ અને વિછીનો ડંખ તેનાથી પણ અતિ ભયંકર દુઃખ ઉત્પન્ન કરે એવો સ્પર્શ હોય છે. ૯ અગુરૂ લઘુ પુદ્ગલ પરિણામ હોવા છતાં તીવ્ર દુઃખના આશ્રય ભૂત અતિવ્યથાને પેદા કરનારા હોય ૧૦ શબ્દ સતત પીડાતા પચાતા નારકોના આકંદ એટલે અવાજ વાળા શબ્દો અતિ કરૂણા ઉપજાવે તેવા હોય છે. આ સિવાયની બીજી પણ દશ પ્રકારની વેદના પણ હોય છે. શીત-ઉષ્ણ-ક્ષુધા = ભૂખ. ખરજ (ચળ) તૃષા = તરસ. પરવશતા (આશ્રય વગરના) જવર = મનુષ્યથી અનંત ગુણો અધિક સખત તાવ હોય છે. દાહ, ભય અને શોક આ બધા પણ અનંતગુણા અધિક હોય છે. | શિતોષ્ણ વેદના- ઉષ્ણ ક્ષેત્રમાં યોનિ હિમાલયથી પણ અધિક શીત હોય છે અને શીત ક્ષેત્રમાં યોનિ સળગતા ખેરના અંગારાથી પણ અધિક ઉષ્ણ હોય છે. જેથી પહેલી નારકીમાં તીવ્ર ઉષ્ણ વેદના બીજીમાં તીવ્રતર ઉષ્ણ વેદના ત્રીજીમાં તીવ્રતમ ઉષ્મ વેદના અને ચોથીમાં શરૂઆતના પ્રતિરોમાં અત્યંત તીવ્રતમ ઉષ્ણવેદના હોય અને ચોથીના નીચલા પ્રતરોમાં અતિ શીત વેદના પાંચમી નારકીમાં તીવ્રતર શીત વેદના છઠ્ઠી નારકીમાં તીવ્રતમ શીત વેદના અને સાતમી નારકીમાં અત્યંત તીવ્રતમ વેદના હોય છે. આ વેદનાઓ ક્રમસર અનંતગુણ અનંતગુણ અધિક હોય છે. છઠ્ઠી અને સાતમી નારકીમાં સમયે સમયે પ૬ ૮૯૯૫૮૪ આટલા રોગો કાયમ હોય છે. પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર અને પાંચસો ચોર્યાશી રોગો કાયમ હોય છે. શસ્ત્ર સંબંધી વેદના નારકો અન્યોન્ય લડે ત્યારે અને પરમાધામીઓ કરે ત્યારે હોય છે. નારકીઓને કવલાહાર નથી પણ ઇચ્છા થતાં જ અશુભ પુદ્ગલોના પરિણમનનો અનુભવ થાય છે અને આહાર રૂપે પરિણમે છે. આ આહાર અત્યંત પીડા કરે છે અને પાછી ક્ષણમાં તીવ્ર સુધા એટલે ભૂખ અને તૃષા એટલે તરસ ઉત્પન્ન થાય છે આ ભૂખ અને તરસનું દુઃખ ભવના અંત સુધીનું હોય છે. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે નારકીના જીવને ભુખની વેદના કેટલીકે જગતમાં રહેલા ખાવા યોગ્ય બધા પદાર્થો એક જ જીવને ખવડાવી દેવામાં આવે તો પણ ક્ષણ પછી ભૂખ એવી સખત લાગે છે કે જેના પરિણામે અત્યંત વેદના થયા કરે છે માટે આ જીવોની ભૂખ કદી શમતી જ નથી એવી જ રીતે નારકીના જીવોને તરસ પણ એવી જોરદાર હોય છે કે જગતમાં રહેલા બધા સમુદ્રો અને જયાં જયાં દ્વીપોમાં રહેલું બધું પાણી પીવડાવી દેવામાં આવે તો પણ તે Page 85 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy