SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અસંખ્યાતા ભવો એક હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે છે. પર્યાતિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાતિ, ભાષા પર્યાપ્તિ પાંચમી અધુરી. પ્રાણો- આઠ. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ છેલ્લો અધુરો. પર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો શરીર- જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી એક ગાઉ એટલે બે માઇલની કાયા હોય આવી ઉત્કૃષ્ટ કાયાવાળા આ જીવો અઢી દ્વીપની બહારના ભાગમાં અસખ્યાતા હોય છે. આયુષ્ય- જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી છ માસ. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ ઉત્કૃષ્ટથી જઘન્ય જઘન્ય આયુષ્યવાળાજીવો જઘન્ય મધ્યમ આયુષ્યવાળા જીવો અને મધ્યય મધ્યમ આયુષ્યવાળા જીવો જન્મ મરણ કરે તો એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે પછી એક ભવ નાનો પંચેન્દ્રિયનો કરે પાછા એક હજાર સાગરોપમ સુધી ચઉરીન્દ્રિયપણાના ભવો કરે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે એક ભવ એકેન્દ્રિયમાં જાય પાછા ચઉરીન્દ્રિય પણે ઉત્પન્ન થઇ અસંખ્યાતા ભવો એક હજાર સાગરોપમમાં કરે આ રીતે ફરતાં ફરતાં એવા ભારેકર્મી જીવો અસંખ્યાતા હોય છે કે જેઓ અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી સુધી જન્મ મરણ કર્યા જ કરે છે. પર્યાતિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. ઉત્પત્તિના પહેલા સમયે આહાર ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે શરીર પર્યાપ્તિ. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ત્યારબાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. પ્રાણો-આઠ. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ. જયારથી આયુષ્યની શરૂઆત થાય એટલે ચઉરીન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય થાય ત્યારથી ચઉરીન્દ્રિય ગણાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતાં જગતમાં રહેલા ગ્રહણ યોગ્ય દારિક વર્ગણાના પુગલોને Page 80 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy