SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આ જીવોના બે ભેદો હોય છે :(૧) તે ઇન્દ્રિય અપર્યાપ્તા (૨) તે ઇન્દ્રિય પર્યાપ્તા અપયા તે ઇન્દ્રિય જીવોનું વર્ણન. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ. એટલે એક હજાર સાગરોપમ, સુધી જન્મ મરણ કર્યા કરે છે, પર્યાપ્તિ પાંચ- આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ તેમાં પાંચમી પર્યાતિ નિયમો અધુરી હોય છે. પ્રાણો સાત- આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ તેમાં સાતમાં પ્રાણ અધુરો હોય છે. પર્યાપ્યા તે ઇન્દ્રિય જીવોનું વર્ણન આ જીવો જગતમાં ઘણા પ્રકારના હોય છે. આ જીવોની જ્ઞાનની માત્રા સતેજ થયેલી હોવાથી તે જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી પોતાની ઇન્દ્રિય અને પ્રાણોને સતેજ કરતાં કરતાં આહારાદિ સંજ્ઞાઓને સતેજ કરીને પુષ્ટ કરતા જાય છે અને એ સંજ્ઞાઓથી જે સંસ્કાર પેદા થતા જાય છે તેને દ્રઢ કરતાં જાય છે. આથી એ સંસ્કારને સાથે લઇને બીજીગતિમાં જતાં ત્યાં તે સંસ્કારો મજબૂત કરી તે પ્રમાણે ક્રિયા કરતા જાય છે અને સંસાર વધારતા જાય છે. આ જીવોને શરીર-જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું શરીર હોય છે. આ મોટી કાયાવાળા તેઇન્દ્રિય જીવો મનુષ્ય લોકની બહારના ભાગમાં તિર્જી લોકમાં રહેલા હોય છે. એક ગાઉ = ૨ માઇલ. ત્રણ ગાઉ = છ માઇલની કીડી હોય છે તે પ્રમાણે તેના શરીરની પહોળાઇ અને જાડાઇપણ તેજ પ્રમાણે રહેલી હશે ! આવી કીડીઓ દશ કલોમિટરના શરીરની ઉંચાઇવાળી અહીં આવે તો શું થાય ? આવા મોટા શરીરવાળા પ્રાણીઓને જીવ જંતુને જોવાનું આપણું પુણ્ય પણ નથી ને ? થોડીક મોટી કાયાવાળા કોઇને જોઇએ તો આશ્ચર્ય થાય છે તો આ જીવો પોતાનું જીવન તે તે ક્ષેત્રોમાં સારી રીતે જીવતા જ હશે ને ! જ્ઞાનીઓએ પોતાના કેવલજ્ઞાનથી જોયેલી આ બધી ચીજો જેવા પ્રકારની જોઇ તેવા પ્રકારની કહેલી છે. માટે તે તે ક્ષેત્રને આશ્રયીને તેવી કાયાવાળા તે ઇન્દ્રિય જીવો હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આયુષ્ય- જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસ. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ એક હજાર સાગરોપમ કાળ વચમાં એક ભવ બીજો કરી પાછો એક હજાર સાગરોપમ કાળ. કેટલાક જીવો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપે જન્મ મરણ કરતા હોય. કેટલાક જીવો જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં હોય કેટલાક જીવો મધ્યમ મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં હોય તો એક Page 76 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy