SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वेडपि वनस्पतयः, सर्वेषां भोज्यतांगताः । Id : રઈIST-IQત્તિ વજેરજાતિમ્ //૪//' કન્દ' આદિના ભેદથી દશ પ્રકારના વનસ્પતિપણાને પામેલા જીવો ‘૧- છેદાય છે, ૨- ભેદાય છે અને ૩- અગ્નિના યોગથી પકાવાય છે : ૪- સંશોષણ કરાય છે, પ- સારી રીતે પીસાય છે, ૬- પરસ્પરનાં સઘર્ષણોથી બળાય છે, ૭- ક્ષાર આદિથી બળાય છે, ૮- ભોક્તાઓ દ્વારા ખવાય છે અને ભગાય છે, તથા ૧- દાવાનલો દ્વારા ભસ્મસાત કરાય છે અને ૧૧- નદીઓના પ્રવાહો દ્વારા ઉમૂલન કરાય છે : ૧૨સઘળાય પ્રકારની વનસ્પતિઓ સર્વના ભોયપણાને પામી થકી સદાય સર્વ શસ્ત્રો દ્વારા કલેશની પરમ્પરાને અનુભવે છે.' કારમું કૌતુક : - આ પાંચેય પ્રકારના એકેંદ્રિય જીવોની રક્ષાનું વિધાન એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સર્વ પ્રકારે કરવામાં આવ્યું છે. અન્ય શાસનના પ્રણેતાઓને તો પૃથિવીકાય આદિ જીવો છે એવું ભાન પણ નથી. અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વપર ઉભયનો વિનાશ કરનારી થાય છે. અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એજ ઘોર મિથ્યાત્વ છે. કુમતોની ઉત્પત્તિ અને આજનો ઘોર ઉત્પાત એ એજ ઘોર મિથ્યાત્વનું પરિણામ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતર અવાજ ઉપરજ નાચે અને બીજાઓને પણ નચાવવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુકજ છે. મૂર્તિમંત મૂર્ખતા : એમ કારમાં કૌતુકે આજે કંઈ જૈન નામધારિઓને પણ પાગલ બનાવ્યા છે. અન્યથા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવનારાઓ, ઘોર હિંસાના પ્રચારકને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે ઓળખાવીને મૂર્તિમંત મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકવાનું સાહસ કદી ન કરી શકતા. સારાસારના અને હેય ઉપાદેયના વિવેકનો અભાવ હોવાથી ધર્મના નામે વનસ્પતિકાયની કારમી કતલનો જોરશોરથી સર્વદેશીય ઉપદેશ આપનારને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા અને અન્ય પાસે મનાવવાના દિ ઉગ્યે ધમપછાડા કરનારા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવે, એ મૂર્તિમંત મૂર્ખતા નહિ તો બીજું છે પણ શું ? વનસ્પતિકાયની કારમી કતલના ઉપદેશની માફકજ એક વખત તેજસ્કાયના સંહારનો પણ સચોટ ઉપદેશ આપનાર અને એ કંપારીજનક સંહારના પ્રચારમાં મઝા માણનાર તથા ત્રસ તિર્યંચો તથા મનુષ્યોની હિંસાનો પણ ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉપદેશ આપનાર તથા આચરવાની પણ ઉઘાડી આગાહી આપનાર વ્યક્તિને અહિંસાના ઉદ્ગારક તરીકે માનનારા આત્માઓ- “મૂર્તિમંત મૂર્ખતા' તરીકે શ્રી જૈનશાસનમાં નહિ ઓળખાય તો અન્યત્ર ઓળખાશે પણ ક્યાં ? ધ્યાનમાં રાખજો કે-પૃથિવિકાય આદિ સ્થાવર જીવોની હિંસામાં ત્રસ એટલે હાલતા ચાલતા જીવોની પણ હિંસા બેઠીજ છે : એજ કારણે પૃથિવીકાય આદિના આરંભ્ય સમારમ્ભમાં બેઠેલા આત્માઓ ત્રસ જીવોને પણ નહિ હણવાનો સ્પષ્ટ નિયમ નથી સ્વીકારી શકતા. શરણરૂપ એક જૈન સાધુતાજ : એજ કારણથી આ વિશ્વમાં પ્રાણી માત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતાજ છે. શ્રી જૈનસાધુતા સિવાય પ્રાણી માત્રને રક્ષણ આપનારી આ વિશ્વમાં કોઇ વસ્તુજ નથી : એજ કારણે શ્રી Page 57 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy