________________
(૨) બાદર સાધારણ વનસ્પતિ કાય સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના બે ભેદ :(૧) અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય અને (૨) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય.
અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં અનંતા જીવો એક સાથે રહેલા હોય છે તે આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ એટલે અનંતકાળ ચક્ર સુધીની હોય છે. ચૌદ પૂર્વધરના આત્માઓ પ્રમાદને વશ થઇ પૂર્વના જ્ઞાનને ભૂલી મિથ્યાત્વે આવી અત્યંત આસક્તિ પૂર્વક પ્રમાદનું સેવન કરતા કરતા અનંતા જન્મ મરણના અનુબંધો બાંધીને સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો ત્યાં અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ રખડ્યા કરે છે. એવા આત્માઓ સૂક્ષ્મ નિગોદમાં અત્યારે અનંતા રહેલા છે.
પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. એમ ચાર પર્યાતિઓ હોય તેમાંથી ચોથી પર્યાપ્તિ હંમેશા અધુરી જ હોય છે. પ્રાણો-ચાર હોય. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તેમાં ચોથો પ્રાણ અધુરો હોય છે.
ચૌદ પૂર્વી આત્માઓ જો આવી રીતે નિગોદમાં જઈ શકતા હોય તો આપણી શી દશા ? એનો કોઇ દિ વિચાર કરીએ છીએ ખરા? આ બધુ જાણીને હતાશ થવાને બદલે પ્રમાદથી સાવચેત રહેવા પ્રયત્ન કરવો જોઇએ. પ્રમાદ પાંચ કહ્યા છે.
(૧) કોઇ પણ પ્રકારના વ્યસન, ટેવ. (૨) પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અનુકૂળ વિષયોમાં ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખસેડવી તે. (૩) ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયોનો ઉપયોગ કરવો તે. (૪) વિકથા કરવી તે. (૫) ઉંઘવું નિદ્રા લેવી તે.
સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. શરીર- અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપિણી અનંતી અવસરપિણી કાળ એટલે અનંતાકાલચક્રોનો હોય છે.
પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. પ્રાણી-૪. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્ચવાસ પ્રાણ. યોનિ. સમુદાય ગતિ ચારે ભેદોને આશ્રયીને ૧૪ લાખ જીવાયોનિ હોય છે. બાદર સાધારણ વનસ્પતિકાયના બે ભેદો:(૧) અપર્યાપ્યા બાદ સાધારણ વનસ્પતિકાય
Page 44 of 234