SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આનો ભાવાર્થ એ થાય છે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો અવ્યવહાર રાશી રૂપે અને વ્યવહાર રાશી રૂપે એમ બન્ને માં હોય છે. તેમાં અનાદિ સાધારણ સૂક્ષ્મ વનસ્પતિ નિયમા અવ્યવહાર રાશીવાળી ગણાય છે અને સાદિ સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ જીવો નિયમા વ્યવહાર રાશીવાળા ગણાય છે. બાકી તો વ્યવહાર રાશીવાળા છે જ. સાધારણ વનસ્પતિ જીવો ઃ- કાંદા, અંકુરા, કુણી કિસલયો પણગ = સેવાલ, ભૂમિફોડ, સઘળાંય કુણા ફળો, સઘળાં કંદમૂળો, પાંચે વર્ણવાળી લીલીફૂગ અને વનસ્પતિ ઉગતી વખતે કોમળ હોય છે જ્યાં સુધી એ કોમળતા હોય તે અને તેના સિવાયના બીજા અનેક સાધારણ વનસ્પતિકાય જીવો કહેવાય છે. કંદમૂળના નામોલસણ, ડુંગળી, આદુ, સુરણ, રતાળુ, પેંડાલું, બટાટા, થેક, સકરચદ્ર મૂળના કંદ, લીલી હળદર, નલીગળી, ગાજર, અંકુરા, ખુરસાણી, કુંવર, મોર્થા, અમૃતવેલ, થોર, બીડ, અડવીના ગાંઠીયા અને ગરમર ઇત્યાદિ કંદમૂળના ઘણાં ભેદો થાય છે. એક શરીરમાં અનંતા જીવો જે કહ્યા તે કેટલા ? કઇ રીતે જાણવા ? તો તે આ પ્રમાણે. ચૌદરાજલોક રૂપ જગતને વિષે જેટલા પૃથ્વીકાયના જીવો છે તે, ચૌદ રાજલોકરૂપ જગતને વિષે જેટલા અકાયના જીવો જે છે તે. ચૌદ રાજ લોક રૂપ જગતમાં જેટલા તેઉકાયના (6 66 66 66 .. "C 66 66 66 66 66 CC 66 66 66 66 66 66 "C 66 66 66 66 k CC 66 "C (C 66 66 "C (C 66 66 66 66 66 66 66 66 66 66 66 66 વાયુકાયના પ્રત્યેક વનસ્પતિકાયના “ બેઇન્દ્રિયના તેઇન્દ્રિયના ચઉરીન્દ્રિયના જીવો છે તે "6 66 66 નારકીના તિર્યંચના (6 66 66 66 66 મનુષ્યના દેવના આ સઘળાંય જીવોને ભેગા કરીએ અને સરવાળો કરીએ તો પણ અસંખ્યાતા જ થાય છે. તે સઘળાંય જીવો કરતાં અનંત ગુણા અધિક જીવો એક શરીરમાં રહેલા હોય છે. આ કારણોથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ગૃહસ્થનું જીવન એટલે હિંસાથી ભરેલું. હિંસા વગર ચાલે નહિ તો પછી આ જીવો હિંસા કરીને જ જીવન જીવ્યા કરે તો છૂટકારો ક્યારે થાય ? કારણકે હિંસા કરે તેનાથી પાપ બંધાય, પાપથી દુઃખ આવે, દુઃખ ભોગવવા દુર્ગતિમાં જવું પડે, ત્યાં દુ:ખ અકામ નિર્જરાથી ભોગવી પુણ્ય ભેગું કરી મનુષ્ય જન્મ પામવો, પાછું પાપ કરવું આ ચક્કર ચાલ્યા જ કરે તો જીવનો છૂટકારો ક્યારે થાય ? એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે આ બધુ જાણ્યા પછી, સમજ્યા પછી, જીવન ઓછા પાપથી જીવવું હોય તો જીવી શકાય એવો રસ્તો મનુષ્ય પાસે જ છે. સંપૂર્ણ પાપ કે હિંસા રહિત જીવન જીવવાની શક્તિ ન હોય તો (6 Page 41 of 234 66 "C "" 66 "C "C 66 66 66 66 66 66 66 66 "C 66
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy