________________
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય.
સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવની ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી કાળ.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાતિ. આ જીવોને ચોથી પર્યામિ નિયમ અધુરી હોય છે.
પ્રાણ-૪. આયુષ્ય પ્રાણ, કાયબલ પ્રાણ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે. તેમાં જે સ્થાનમાંથી આવીને બાદર અપર્યાપ્તા તેઉકાય રૂપે ઉત્પન્ન થાય એટલે આયુષ્ય ઉદયમાં ચાલુ થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યામિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ ચાલુ થાય છે. એટલે પુગલો જે આહાર રૂપે લીધેલા છે તેને સારી રીતે પચાવવાની શક્તિ પેદા થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે કે જેનાથી લીધેલા આહારના પુદ્ગલોમાં સારા નરસાપણાનું જ્ઞાન પેદા થતાં સંજ્ઞાઓ સતેજ થાય છે અને સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં સારા નરસાપણાના રાગની સમજ વિશેષ થાય છે. શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ થતાં શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. આ પર્યાપ્તિ અને પ્રાણ પૂર્ણ કર્યા વગર જીવ મરણ પામતો હોય છે માટે અપર્યાપ્ત કહેવાય છે.
પર્યાપ્તા બાદર તેઉકાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. એક શરીરમાં એક જીવ હોય છે. માટે પ્રત્યેક કહેવાય છે. અસંખ્યાતા શરીરો અને અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જ જોઈ શકાય છે.
આયુષ્ય- જધન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. ઉત્કૃષ્ટ થી- ટોણ અહોરાત્રિ એટલે ૭૨ કલાકનું સ્વકીય સ્થિતિ જઘન્યથી એક ભવ એટલે એક ભવ અંતર્મુહૂર્તનો તેઉકાય રૂપે ઉત્પન્ન થઇ પછી યોનિ બદલી બીજી યોનિમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી, અવસરપિણી કાળ એટલે અસંખ્યાતા કાલચક્રો હોય છે. કોઈ જીવ પોતાના શરીરાદિનું મમત્વ કરી અત્યંત આસક્તિ વગેરે કરીને તથા ગરમા ગરમ ખાવા પીવાદિમાં બરાબર ટેસ કરી તેઉકાયના આયુષ્યના અનુબંધો બાંધીને ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે આઠ ભવ કરી નવમે ભવે યોનિ બદલી પાછો તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી આઠ ભવો કરી પાછી યોનિ બદલે આ રીતે અસંખ્યાતો કાળ રખડે. ઉત્કૃષ્ટ આયુષ્યના ઉત્કૃષ્ટથી આઠ ભવ કરી શકે. જઘન્યજઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે, મધ્યમ-મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં કરતાં અસંખ્યાતો કાળ તેઉકાયમાં જીવ ફર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાતિ હોય છે.
Page 32 of 234