SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય પ્રાણ :- આયુષ્યનો ઉદય શરૂ થાય ત્યારથી. કાયબલ પ્રાણ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે શરૂ થાય. સ્પર્શેન્દ્રિય પ્રાણ :- ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે શરૂ થાય અને શ્વાસોચ્છવાસ પ્રાણ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શરૂ થાય છે. આ જીવોની યોનિ સાત લાખ છે. આ રીતે બાદર અકાય જીવો ચૌદ રાજલોક રૂપ જગતના સંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલા હોય છે. આ પૃથ્વીકાય-અકાયમાં એવા લઘુકર્મી આત્માઓ રહેલા પણ હોય છે કે જેઓ ત્યાં જે કષ્ટ પડે તે કષ્ટ વેઠીને રાગાદિની પરિણતિ મંદ રાખીને અકામ નિજ૨ા કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણાનું આયુષ્ય બાંધીને આઠ વર્ષે સંયમ લઇ નવમા વર્ષે કેવલજ્ઞાન પામી મોક્ષે જનારા હોય છે . જો ત્યાં આવા જીવોઅકામ નિર્જરાથી પોતાના આત્માનું કલ્યાણ સાધી લેતા હોય તો આપણને તો સારી સામગ્રી મળેલ છે તો તેનો સારી રીતે ઉપયોગ કરી અકાગ્રચિત્તે આરાધના કરી મોક્ષ નજીક બનાવવા ધારીએ તો કરી શકીએ એમ છીએ ને ? તો તે પ્રયત્ન કરાય એ વધારે સારૂં લાગે છે. આ રીતે જલ્દી મોક્ષ પામો એ અભિલાષા....... तथाइप्कायस्यापि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि નાના ૮, ૨- ‘અપકાય’ ના જીવોની પણ યોનિ સાત લાખ છે, કુલકોટિ પણ સાત લાખ છે અને તે જીવોને વેદનાઓ પણ અનેક પ્રકારની હોય છે. ‘અકાય’ ઉપરના ઉપદ્રવો ‘પૃથિવીકાય’ ની પીડાના પ્રકારો વર્ણવ્યા બાદ ‘અકાય’ ના ઉપદ્રવોનું વર્ણન કરતાં પણ પ્રવચનપારંગત એ પરમર્ષિ પ્રરૂપે છે કે " अप्कायतां पुनः प्राप्ता-स्ताप्यन्ते तपनांशुभिः । धनीक्रियन्ते तुहिनैः, संशोष्यन्तेद्य पांशुभिः //9// क्षारेतरसाश्लेपाद, विपद्यन्ते परस्परम् / स्याल्यन्तस्था विपच्यन्ते, पीयन्ते च पिपासितैः //// ‘એકેંદ્રિય’ પણામાં પૃથિવીકાયરૂપતા ને પામેલા આત્માઓ, જેમ અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે તેમ ‘અકાયપણા’ ને પામેલા જીવો પણ (૧) સૂર્યના કિરણોથી તપે છે, (૨) તુહિતથી ઘનીભૂત થઇ જાય છે અને (૩) ધુળ દ્વારા શોષાઇ જાય છે : (૪) ખારો રસ અને તે સિવાયના બીજા પણ ૨સો એ ૨સોના પરસ્પર મીલનથી પરસ્પરનો વિનાશ થાય છે ઃ અર્થાત્ ખારા પાણી સાથે મીઠું પાણી મળે તો એ ખારા પાણીના અને મીઠા પાણીના, ઉભયના જીવો નાશ પામે છે : એ રીતિએ ભિન્ન ભિન્ન રસના પાણીનો ભિન્ન ભિન્ન રસવાળા પાણી સાથે મેળાપ થાય તો એકત્રિત થયેલ ભિન્ન ભિન્ન પાણીના જીવોનો નાશ થાય છે. (૫) વળી સ્થાળ એટલે રાંધવાનું ભાજન વિશેષ તેમાં રહેલા પાણીના જીવો પુષ્કળ પકાય છે અને (૬) તરસ્યા લોકો દ્વારા પાણીના જીવો પીવાય છે. Page 26 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy