SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણીકાળ જેટલી એટલે કે અસંખ્યાતા કાલચક્ર જેટલી હોય છે. જઘન્ય આયુષ્ય રૂપે વારંવાર જન્મ મરણ કરતાં કરતાં એટલો કાળ પસાર કરી શકે છે. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે. તેમાં છેલ્લી પર્યામિ નિયમા અધુરી હોય છે. પ્રાણી-૪, આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ તેમાં છેલ્લો અધુરો હોય છે. કોઇપણ સ્થાનેથી મરણ પામીને આ જીવ જયાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુલોને ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. જે વખતે વિગ્રહ ગતિમાં બાદર અપર્યાપ્ત અપૂકાય રૂપે આવે ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. આહાર પર્યાપ્તિ પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો કરતો જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિથી કાયબલ પ્રાણ પેદા થાય છે ત્યારે બે પ્રાણવાળા જીવો બને છે ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને પરિણાવી જે શક્તિ પેદા કરે છે તેનાથી ઇન્દ્રિય પર્યાતિ પ્રાપ્ત કરે છે તેમાંથી સ્પર્શેન્દ્રિય પ્રાણપેદા થાય છે અને તે પ્રાણ પેદા થતાં સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં રાગાદિની માત્રા વધે છે. ત્યાર પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી પરિણમાવીને જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસો ચ્છવાસની શરૂઆત થાય છે અને તેમાંથી શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા કરે છે. આ પર્યાપ્તિ થોડો કાળ ચાલે ત્યાં પરભવનું આયુષ્ય બાંધીને જીવો અધુરી પર્યાપ્તિ અને પ્રાણથી મરણ પામી બીજી ગતિમાં જાય છે અથત મરણ પામે છે તે બાદ૨ અપર્યાપ્તા અપુકાય જીવો કહેવાય છે. આવા જીવો અસંખ્યાતા સદા માટે રહેલા હોય છે. બાદર પર્યાપ્તા અપાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય-જઘન્ય-એક અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ- સાત હજાર વરસ. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધીની હોય છે તે જઘન્ય આયુષ્યવાળા જીવો. જઘન્ય-મધ્યમ આયુષ્યવાળા જીવો અને મધ્યમ-મધ્યમ આયુષ્યવાળા જીવોની હોય છે. આ સ્થિતિ અસંખ્યાતા કાલચક્ર જેટલી હોય છે. જયારે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થયા કરે તો આઠ ભવથી વધારે ભવ કરે નહિ આઠ ભવ પછી અવશ્ય યોનિ બદલાઇ જાય છે. આવા મોટા આયુષ્યવાળા અપૂકાય જીવો લવણ સમુદ્રમાં રહેલા પાતાળ કળશોમાં નીચેના ભાગમાં રહેલા હોય છે. જયાં તેઓને મોટે ભાગે કોઇ પીડા ન કરે. મોટા પહાડો અને ખીણોમાં જયાં લગભગ અવર જવર ન હોય એવા ભાગમાં ખાબોચીયામાં ભરાયેલા પાણી રૂપે મોટા ૧ છે. Page 24 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy