________________
ઇચ્છિત વસ્તુ નહિ મળવાનાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલો જે પ્રમાદ તેના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમરસુંદરીઓ ની પ્રાર્થનાથી એટલે જે અમરસુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસી પાસીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાંને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યાજ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સુમદાયથી નિંદાયા કરે છે, પોતાના અવનનાં દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે. મૃત્યુ જેનું એવો તે આક્રંદ કરે છે તથા સઘળીજ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલકમલમાં ત્યાંથી ચ્યવીને તે પડે છે. અંધકારથી બચવાના ઉપાય :
ભાવ અંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે- આખાએ આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતાજ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતિએ જોયું. ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેક સંપશ મહાપુરૂષોની નિશ્રાનો અભાવ. વિવેક કે વિવેકી મહાપુરૂષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવઅંધકારમાં કેવી રીતિએ ફસાય છે અને એના પરિણામે “નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથનદ્વારા સારામાં સારી રીતિએ સમર્પે છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઇચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે-આપણે અનંત ઉપકારીઓ ના શાસનની સુંદ૨માં સુંદર સેવા કરવા દ્વારા સદવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ અને જયાં
ભાવચક્ષની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુ શાસનના સારને પામવાથી પરમ વિવેકસંપશ બનેલા પુણ્યપુરૂષો ની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદીપણ ત્યાગ કરવો જોઇએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્નરૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થિ આત્મા માટે અતિશય આવશ્યક છે. એ કારણે તો પરમ કારૂણિક શ્રી જિનેશ્વરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ આદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડવું પડતું નથી.
ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન ગતિએ જાણવાની જરૂર છે અને તે હવે પછીત્યાગ કરવા છતાં ઈરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને ? :
Page 223 of 234