________________
ભાવાર્થ :- સઘળાય સૂક્ષ્મ જીવો અને સાધારણવનસ્પતિકાય જીવો તથા સમૂચ્છિમ મનુષ્યો જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી જીવે છે. ૩૯. ઓગાહણા ઉમાણે એવું સંખેવઓ સમકખાય !
જે પણ ઇન્થ વિસસા વિશેસ સત્તાઉ તે નેયા ||૩૯ ભાવાર્થ :- આ પ્રમાણે સંક્ષેપથી અવગાહના તથા આયુષ્ય દ્વારનું વર્ણન કર્યું તેમાં જે કાંઇ વિશેષ છે તે વિશે ષ સૂત્રોથી જાણી લેવું. ૪૦. એગિદિયાય સવૅ અસંખ ઉસ્સપિણી સકાયંમિ
ઉવવજંતિ ચયંતિ ય અસંતકાયા અસંતાઓ ૪૦માં ભાવાર્થ :- સઘળાંય એ કેન્દ્રિય જીવોની સ્વકાસ્થિતિ અસંખ્યાતી ઉત્સરપિણી તથા અવસરપિણી કહેલી છે. અને અનંતકાય જીવો અનંતીવાર ત્યાં જન્મે છે અને મારે છે. તેથી અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ કહેલ છે. ૪૧. સંખિજ્જ સમા વિગલા સાઠભવા પબિંદિ તિરિ મણુઓ .
ઉવજંતિ સકાએ નારય દેવા ય નો ચેવ ૪૧ ભાવાર્થ :- વિકલેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ સંખ્યાતા ભવો પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યયોની સ્વકાય સ્થિતિ સાત અથવા આઠ ભવો હોય છે. નારકી તથા દેવતાઓની સ્વકાય સ્થિતિ હોતી નથી. ૪૨. દસહા જિઆણ પાણા ઈદિય ઉસાસ આઉ બલ રુવા
એગિદિએ સુ ચઉરો વિગલે સુ છ-સત્ત અઢેવ ૪રા. ભાવાર્થ :- જીવોને દશ પ્રકારના પ્રાણો હોય છે. પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને ત્રણ બલ એમ દશ પ્રાણો થાય છે. તેમાં એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિકલેન્દ્રિયોને છે, સાત અને આઠ પ્રાણો હોય છે. ૪૩. અસશિ સશિ પંચિદિએ સુ નવ દસ કમેણ બોધવા |
તેહિ સહ વિuિઓગો જીવાણું ભણએ મરણ ૪૩ll ભાવાર્થ :- અસન્ની પંચેન્દ્રિય જીવોને નવપ્રાણ તથા સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણ હોય છે તે પ્રાણની સાથે જીવને જે વિયોગ થવો તેનું નામ મરણ કહેવાય છે. ૪૪. એવં અણોરપારે સંસારે સાયરશ્મિ ભીમમ્મિી
પત્તો અસંત ખત્તો જીવેહિ અપત્ત ધમૅહિ ||૪૪ ભાવાર્થ :- આ રોતે જેનો પાર પામી ન શકાય એવા ભયંકર સંસાર રુપી સમુદ્રને વિષે ધર્મને નહિ પામેલા જીવો અનંતીવાર પડ્યા રહ્યા છે. ૪૫. તહ ચઉરાસી લકખા સંખા જોણીણ હોઇ જીવાણું !
પુઢવાણું ચહિં પયં સત્ત સત્તવ ૪પા
Page 216 of 234