________________
આપું તો વાંક ખરો બાકી તમારી ખાતર અનીતિ કે જુઠ આદિ પાપ હું કરવાનો નથી. આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ? એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સમ્યગુદ્રષ્ટિ તો કહી દે કે- હું સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારું રક્ષણ કરીશ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજ તો કહે છે કે-જેની જરૂર એનો નિષેધ કેમ ? પણ વિચારો કે-દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ? શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કરે અને છોકરો માંદો પડે ત્યારે મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરૂ નિગ્રંથ જોઇએ એમ કહે, પણ પાછા કહે કેઅમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ સુધારો આ કઇ દશા ? શું સાધુ, એ વાતને માને ? માને તો પરિણામ એ આવે કે-વીસમી સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે? નહિ જ, તો વિચારો કેદેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, અને ત્યાગમયી ધર્મ, એ ત્રણની પાસે શું મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મંગાય ? કેસરીયાજીને કહે કે- ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચઢાવું' –એ શું? એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ?
ખરેખર, આજની દશા જ કોઈ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે-ગુરૂ કંચન, કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરૂ. અમારા કંચન-કામિનીને સારાં કેમ ન કહે ? આનો અર્થ એ જ કે-પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે. આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે- ‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરીઆત જોવી જ જોઇયે.' આવાઓને પૂછવું જોઇએ કે શું એ તમારી જરૂર જો વા નીકળ્યા છે
સદુપયોગ એ ધર્મ :
સભા. સોબતમાં રહો તો એટલું ન હોય ?
દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીયેજ નહિ, કારણ કે-સાધુ ગૃહસ્થ નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિલે પ રહે છે, જો નિલે પ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ કોહવાઇ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણોજ ફરક છે.
ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કે:
ગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂચ્છ છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભ રૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂચ્છથી બચાવવા માટે. દ્રવ્યમૂચ્છમાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે. મૂચ્છનાં સાધનવાળાને ઉપદેશ દે, શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જૂએ, પણ એક જ આદમી હોય અને રસોઈ બનાવી નથી તો મુનિને બનાવી દેવાનું વિધાન નથી. પૌષધમાં
Page 206 of 24