________________
મહારાજા અને ચક્રવર્તિ બન્યા, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માંગવા જેવા જ છે એમ માનીને માંગે, એ પણ મૂર્ખાજ છે. છઠ્ઠો આરો શું હેલો લાવવો છે ? :
સભામાંથી :- તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ?
નાદાન બાળક સુખો કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે-એને ઘસે, કાપે, બાળે, તો પણ સુગંધિ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે-લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કારણે કાંઇ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરૂ કછોરૂ થાય, પણ માવતરથી કમાવતર નજ થવાય. છોકરો કે મારી ભૂલ હતી. વિજ્ઞસંતોષીઓ બધું કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિર્ગથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં રાણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ.
આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જો વાની છે અને તે હવે પછીજિનપ્રવચન એટલે શું ? :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યોગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડ છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઈ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર જચી જાય, તો આત્માને હેજે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એ કે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓ ની આજ્ઞા રૂચવી એ કઠીન છે. ‘દેવ અને મનુષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુઃખ રૂ૫ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયોગજન્ય છે, માટે એમાં લેપાવું નજ જો ઇએ.” –એવી બુદ્ધિ થાય તો
Page 202 of 234