________________
યોનિ- તૈજસ અને કાર્પણ આ બે શરીરવાળા જીવો ઔદારિક આદિ શરીરને યોગ્ય સ્કંધો વડે = સાથે જે સ્થાને જોડાયા છે તે સ્થાનને યોનિ કહેવાય છે. વ્યક્તિ પરત્વે યોનિનાં અસખ્યાત ભેદ થાય પણ સમાન વર્ણાદિ જાતિને લઇને તેની સંખ્યા ચોરાશી લાખ છે.
આ ચોરાશી લાખ જીવાયોનિને વિષે અનંતી વાર જન્મ મરણ કરીને આવ્યા છીએ હવે જન્મ મરણ ન કરવા હોય તો સાવચેત બની અનુકૂળ પદાર્થોના રાગને ઓળખી તેનાથી સાવચેતી રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરો અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષને ઓળખીને તે પદાર્થોમાં દ્વેષ ન થાય તેનો પ્રયત્ન કરો તો યોનિમાં ભટકવાનો કાળ ઓછો થતાં થતાં મોક્ષ માર્ગમાં આગળ વધી રાગાદિનો સંપૂર્ણ ત્યાગ કરવાનું સામર્થ્ય પામી આત્માને મુક્તિમાં જલ્દી પહોંચાડી દઇશું આવો પ્રયત્ન કરી સૌ કોઈ વહેલામાં વહેલી મુક્તિને પામો એ અભિલાષા.
જીવ વિચાર પ્રકરણ સંપૂર્ણ
પરિશિષ્ટ- ૧
Page 183 of 234