SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ યોનિ. અકાય જીવોની સામાન્ય રીતે સાતલાખ કહેલી છે માટે અહીં જુદી યોનિ મલતી ન હોવાથી સાતલાખ જીવા યોનિ કહેવાય છે. (ગણાય છે.) આ જીવો નિયમા પ્રત્યેક હોય છે એટલે કે એક શરીરમાં એક જીવવાળા હોય છે. સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય જીવો આ જીવો પણ ચૌદરાજ લોક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. એક સૂક્ષ્મ અપર્યાપ્તા જીવની અવગાહનામાં સંખ્યાત ગુણા અધિક જીવો સૂક્ષ્મ પર્યાપ્તા જીવો નિયમા રહેલા હોય છે. કારણકે અપર્યાપ્તા જીવો કરતાં આ જીવોનું આયુષ્ય માટું હોય છે. માટે સંખ્યાત ગુણા અધિક કહેલા છે. શ૨ી૨-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય-નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ કારણકે કોઇ જીવ કોઇ સ્થાનમાંથી મરણ પામી ઉત્પન્ન થયેલો હોય તે એક અંતર્મુહૂર્ત રહી તરત જ બીજી યોનિમાં જતો રહે છે માટે એક ભવ પણ કહી શકાય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી તથા અસંખ્યાતી અવસરપિણી કાળ એટલે અસંખ્યાતા કાલચક્ર જેટલો પણ કાળ હોય છે. ત્યાંને ત્યાં પણ આ જીવ પોતાને મળેલ શરીરનું મમત્વ કરતો કરતો તેની આસક્તિમાં લીન બનતો ભવ ભ્રમણ વધારીને આટલો કાળ રહી શકે છ. જ્ઞાની ભગવંતોએ આગમોમાં કહ્યું છે કે આવા જીવો ત્યાંના પોતાના મળેલા શ૨ી૨ના મમત્વના કારણે પોતાનું ભવ ભ્રમણ વધારતા જાય છે. પર્યાપ્ત. ૪ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરી૨ પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્ત. આ જીવો પોતાની શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરીને પછી મરણ પામે છે એ પહેલા મરતા નથી. આયુષ્ય બંધની યોગ્યતા ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શરૂ થઇ જાય છે. પ્રાણ-૪ હોય. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચોથો પ્રાણ શરૂ કરીને પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ પ્રાણ ચાલુ રાખતા રાખતા મરણ પામે છે. યોનિ. આ જીવોની જુદી યોનિ કહેલી ન હોવાથી સામાન્ય રીતે જે કહેલી હોય છે તે પ્રમાણે સાત લાખ જીવા યોનિ હોય છે. બાદર અકાય જીવોનું વર્ણન. આ જીવો ભેદ્યા ભેદાય છે. છેદ્યા છેદાય છે, હણ્યા હણાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે અને હાથ હલાવવા વગરે હલન ચલનથી પણ મરે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગે છે. Page 18 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy