SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આ જીવો હણ્યા હણાતા નથી, છેલ્લા દાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી તેમજ કોઇપણ શસ્ત્રથી કપાતા નથી. હાથ હલાવતા પણ આ જીવોની હિંસા થતી નથી કારણ કે આ જીવો અતીવ સૂક્ષ્મ છે તેથી ચર્મચક્ષુથી દેખી શકાતા નથી. પણ કોઇ દુશ્મન અથવા આપણું કહ્યું ન માનતો જીવ વારંવાર કહ્યા છતાં આંખ સામે આવ આવ કરતો હોય તો ગુસ્સામાં બધા મરી જાય તો સારૂં બધા આવા જ હોય છે એવા વિચારથી બધા મરી જવાના ભાવમાં આ જીવો પણ ભેગા આવી જતાં હોવાથી આ જીવોની હિંસાનું પાપ લાગે છે. ચદરાજ લોક રૂપ જગતને વિષે તેના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા અપૂકાયના જીવો ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. અર્થાત્ લોકનો કોઇ એવો આકાશ પ્રદેશ નથી કે જ્યાં આ સૂક્ષ્મ અપૂકાય જીવો અસંખ્યાતા રૂપે રહેલા ન હોય. જયાં સિધ્ધ પરમાત્માના જીવો રહેલા છે તે આકાશ પ્રદેશ ઉપર પણ આ સૂક્ષ્મ જીવો સદા માટે રહેલા હોય છે . આ જીવોના બે ભેદ હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા અપુકાય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા અપુકાય સૂક્ષ્મ પિયક્તિાં અકાય આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય. આયુષ્ય-નિયમાં એક અંતર્મુહૂર્તનું હોય છે. સ્વકાસ્થિતિ જઘન્યથી એક ભવની કે કોઈ જીવ આ જીવ રૂપે ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તમાં નીકળી બીજી કાયમાં ઉત્પન્ન થઇ જાય તે રીતે બની શકે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી એટલે અસંખ્યાતા કાળચક્ર સુધી ઉત્પન્ન થયા કરે છે. એવા જ પ્રકારના જોરદાર અનુબંધ બાંધેલા હોય કે જેના પ્રતાપે આ રીતે જન્મ મરણ કરતાં કરતાં ફર્યા જ કરે. પર્યાતિ-જ હોય. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાતિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. આ ચોથી પર્યાપ્તિ અધુરીએ અવશ્ય મરણ પામે છે પણ શરૂ કરી છે માટ ગણાય છે. પ્રાણ-૪. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ. આ ચોથો પ્રાણ અવશ્ય અધુરો હોય છે. પૂર્ણ કરતાં નથી પણ શરૂ કરેલો હોવાથી એ ચોથા પ્રાણ રૂપે ગણાય છે. સામાન્ય રૂપે નિયમ હોય છે કે દરેક જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીથી જ પરભવનું આયુષ્ય બાંધી શકે છે આથી જે અપર્યાપ્તા જીવો હોય છે કે જે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામવાના હોય છે એવા એ કેન્દ્રિય જીવો પોતાની સ્વયોગ્ય ચોથી પર્યામિ પૂર્ણ કર્યા વગર જ મરણ પામતા હોય છે. આથી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીથી ચોથી પર્યાપ્તિ શરૂ કરે પરભવનું આયુષ્ય બાંધે અને પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર મરણ પામે તેને અપર્યાપ્ત કહેવાય છે. Page 17 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy