________________
प्रमेहाः प्रायशः सर्वदीपोत्थास्तथापि वाताात्कटमेदादिशतिभेदा भवन्ति, तर कफादश पट पित्तात् वातजाश्चत्वार इति, सर्वेडपि चैते ड साध्यावस्थायां मधुप्रमेहत्वमुपयान्तीति, उक्तं च
सर्व एव प्रमेहास्तु, कालेनाप्रतिकारिणः ।
मधुमेहत्वमायान्ति, तदाडसाध्या भवन्ति ते //917" તથા મધુમેહ એટલે બસ્તિરોગ છે જેને હોય એ મધુમેહી કહેવાય છે અને તેનો પેશાબ મધુ જેવો હોય છે. પ્રમેહ નામના રોગના ભેદો વીશ છે. તેમાં આ મધુમેહી અસાધ્ય હોવાથી જ અહીં એનો ઉપવાસ કર્યો છે. જો કે-સઘળાય પ્રમેહો પ્રાયઃ કરીને સર્વ દોષોથી ઉત્પન્ન થનારા છે, તો પણ વાતાદિકની ઉત્કટતાના ભેદથી તેના ભેદો વીશ થાય છે, તેમાં દશ થાય છે કફથી, છ થાય છે પિત્તથી અને ચાર થાય છે વાતથી. એ સઘળા પણ પ્રમેહો અસાધ્ય અવસ્થામાં મધુમેહપણાને પામે છે. કહ્યું છે કે
કાલે કરીને અપ્રતિકારિ બનેલા સઘળા જ પ્રમેહો જયારે મધુમેહપણાને પામે છે. ત્યારે તે અસાધ્ય થાય છે.” ઉપસંહાર :
આ પ્રમાણે સૂત્રગત બે શ્લોકોમાં કહેલા સોલે રોગોનું પ્રતિપાદન કરીને હવે ત્રીજા શ્લોકના પૂર્વાર્ધ દ્વારા સૂત્રકાર મહર્ષિ એ સોલે રોગોના કથનનો ઉપસંહાર કેવી રીતિએ કરે છે, એ દર્શાવતાં ટીકાકર મહર્ષિ ફરમાવે છે કે"तदेवं पोडशाप्येते-अनन्तरोता: रोगा व्याधियो व्याख्याताः अनुपूर्वशी अनुक्रमेणं'
“આ પ્રકારે તરત જ કહેલા એ સોલે પણ રોગો એટલે વ્યાધિઓની વ્યાખ્યા ક્રમે કરીને કરી.” વ્યાધિઓ શિવાય બીજું શું?
હવે ઉપર કહી આવ્યા તે સોલ વ્યાધિઓ શિવાય બીચારા તે પામર આત્માઓ શું શું પામે છે, એનું વર્ણન કરતાં ત્રણ શ્લોકો પૈકીના ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં સૂત્રકાર મહર્ષિએ શું ફરમાવ્યું છે એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ લખે છે કે
“अथ अनंतरं णं इति वाक्यालइकारे स्पृशन्ति अभिभवन्ति आतडका आशुजीवितापहारिणः शुलादयो व्याधिविशेषाः स्पर्शाश्च गाढपहारादिजनिता दुःखविशेषाः असमइजसाः क्रमयोगपद्यनिमितानिमितोत्पन्नाः स्पृशन्तीति सम्बन्ध:/' ।
ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધની શરૂઆતમાં જ આવતો અર્થ એ અનંતર અર્થમાં છે અને “[ એ વાક્યના અલંકાર માટે છે. આ પછી “ppitત એટલે અભિભવ કરે છે, ‘Idol એટલે અકદમ જીવિતનો અપહાર કરનારા શૂલાદિ વ્યાધિવિશેષો “DPRો એટલે ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખવિશેષો અને “W{Íનો એટલે ક્રમે કરીને એકી સાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા આ પ્રમાણેનો અર્થ છે.
અર્થાતુ ઉપર કહી આવેલા રોગો શિવાયના પણ એકદમ જીવિતનો નાશ કરનારા શૂલાદિ વ્યાધિ વિશેષો ગાઢ પ્રહારો આદિથી ઉત્પન્ન થતા દુઃખવિશેષો અને ક્રમે કરીને એકી સાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થતા રોગવિશેષો પણ સંસારમાં રખડતાં આત્માઓને હેરાન કરે છે. મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓની પણ યોનિ,
Page 157 of 234