SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખી છે. એજ રીતે સર્વત્ર લાલસા એજ દુઃખનું કારણ છે અને મોહની મસ્તીમાં લાલસાનું સામ્રાજ્ય વર્તે છે એજ કારણે ધર્મરંગથી વંચિત બનેલાઓને, આજે તો નથી શુભોદય ભોગવતાં આવડતો કે નથી અશુભોદય ભોગવતાં આવડતો. તમને મળ્યું છે એ છે તો શુભોદય. મુંબઇ જેવું શહેર અને ગજબ જેવી આવક છે ને? પણ જાવકના જે એમના એ કારમા ઉન્માદને મચક નહિ આપતાં તેના નાશની શીખામણ આપનાર છે તેની સામે પણ જોવાને તેઓ તૈયાર નથી : આ ભયંકર દુર્દશાના પ્રતાપેજ, એ બીચારાઓ, પોતાની જે યુવાવસ્થા તારનારી છે તેને ડુબાડનારી બનાવે છે. ખરેખર યુવાવસ્થા એ બળવતી અવસ્થા છે. એ અવસ્થામાં વિચારોની હારમાળા હોય છે, અંગે અંગમાં કૌવત હોય છે અને એ અવસ્થાથી ઉંચે પણ જવાય અને નીચે પણ જવાય. શક્તિમાનું, જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અગર મારે ને મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે : એજ રીતે યુવાવસ્થા છે કૌવતવાળી, કંઈ ફેંકી દેવા જેવી નથી : પણ જો એની યોગ્યતા નષ્ટ થાય તો એનાથી મનુષ્યભવમાં રતિભર પણ સુખ નથી અને આજનું સ્વતંત્રતાનું ભુત એ અવસ્થાની યોગ્યતાને નષ્ટ કરનાર છે એટલુંજ નહિ પણ એ ભુતને પનારે પડેલાઓની યોગ્યતા નષ્ટ થઈ પણ ગઈ છે : એનાજ પ્રતાપે, આજના યુવકોની શેઠનું ન માનીએ તો ખાઇએ શું, ઘરનું ન માનીએ તો ઘર ન ચાલે, ઘર ચલાવવું હોય તો ઘરનું માનવુંજ પડે, પેઢી ચલાવવા અનેકની ગુલામી કરવી જ પડે, નોકરીમાં બધા હુકમ મનાય અને છ કલાકને બદલે સાત કલાક કામ પણ કરાય પણ દેવ, ગુરૂ અને ધર્મની વાત તો ફાવે તો, રૂચે તો અને માનવી હોય તોજ માનીએ નહિ તો કંઇ નહિ. આવા પ્રકારની માન્યતા થઇ ગઇ છે : આવા પ્રકારની માન્યતાના પ્રતાપે, તેઓ, ‘અમે, મૂર્તિને દેવ નથી માનતા.' એમ કહીને ઉભા રહે છે પણ પોતાની રમણીના ફોટાને બટનમાં, વીંટીમાં કે ઘડીયાળના છેડામાં રાખતા નથી શરમાતા : તેઓને, પ્રભુની મૂર્તિ જડ લાગે છે અને રમણીની મૂર્તિ ચેતનવંતી લાગે છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો વિરોધ કરનારની પાસે રમણીની મૂર્તિ જોઇને આશ્ચર્ય થાય છે. જેને જોતાં દુનિયાની છાયા ભૂલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે તેને પોતાની છાતી ઉપર રમણીની મૂર્તિ રાખવાનું ગમે છે એ શું આશ્ચર્યજનક નથી ? ભલે એ વાત આશ્ચર્યજનક હોય પણ એથી એટલું તો નક્કી થાય છે જ કે-એ સ્વતંત્રતાના ભુતના પ્રતાપે, એવાઓમાં દરવાજા એટલા બધા છે કે- અકળામણ ય. જાવક વ્યાજબી છે કે ગેર વ્યાજબી તે તમે જાણો. શુભયોગે મળેલી સામગ્રીને કર્મની થીયરી સમજનારો ભોગવી જાણે નહિ તો બીજી આશાઓ અને વિચારો ઉલટા હેરાન કરે. આથીજ આજે તો અશુભોદયમાં જેમ મુંઝવણ થાય છે તેમ શુભોદયમાં પણ થાય છે અને એથી ધર્મરંગ વિના મનુષ્યગતિમાં પણ સુખ નથી. તીવ્ર પુણ્યોદયના અભાવે, મનુષ્યભવમાં પણ રોગ અને પરાભવ તો માથે બેઠેલાજ છે : યોગ અને વિયોગ પણ સાથેજ છે. આ બધું મનુષ્યગતિનાં દુ:ખોનું વર્ણન ચાલે છે એ ધ્યાનમાં રાખજો. આ મનુષ્યભવમાં પણ વિવેકના અભાવે, ઇષ્ટના યોગની ખામીમાં શોક અન ઈષ્ટના વિયોગમાં અને અનીષ્ટના સંયોગમાં મહા દુઃખ. વળી તીવ્ર અશુભના ઉદયે ઘણાને બાલ્યકાળથી લઇને રોગ તથા પરાભવ તો ચાલુ છે. આ મનુષ્યભવ પામીને પરાભવમાં માન માનનારા પણ જીવે છે. ટૂકડાની લાલસાએ ડંડા ખાવા છતાં પણ પુછડી હલાવનારી જાતિ પણ છે ને ? કૂતરાને ચાર ઇંડા મારીને કાઢો અને ફેર તું, તું કરો તો આવે ને ? એ રીતે ગમે તેવા Page 147 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy