________________
(૩) દુષમા સુષમા નામનો ત્રીજો આરો
૪૨૦૦૦ વર્ષ જૂન એક કોટાકોટી સાગરોપમ કાળનો છે. ૮૯ પખવાડીયા ગયે પહેલા તીર્થકરનો જન્મ થશે ત્યાર પછી ક્રમસર બાવીશ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ બળદેવો, ૯ નારદો અને ૧૨ રૂદ્રો આદિ થાય છે.
(૪) સુષમા દુષમા નામનો ચોથો આરો
બે કોટાકોટી સાગરોપમનો હોય. ૮૯ પખવાડીયા ગયે ચોવીશમાં તીર્થંકર ગર્ભમાં આવે જન્મ થાય અને બારમા ચક્રવર્તી થાય. આ તીર્થકર મોક્ષે ગયા પછી યુગલીક ભાવની ક્રમસર શરૂઆત થાય છે.
(૫) સુષમા નામનો આરો ત્રણ કોટા કોટી સાગરોપમનો યુગલિક મનુષ્યોનો કાળ હોય છે. (૬) સુષમા સુષમા નામનો આરો ચાર કોટા કોટી સાગરોપમનો યુગલિક કાળ હોય છે. આ રીતે ઉત્સરપિણી કાળ પૂર્ણ થાય છે. અવસરપિણી અને ઉત્સરપિણી બન્ને કાળ ભેગા થઇને વીશ કોટાકોટી સાગરોપમનો એક કાલચક્ર થાય
ઐરવત ક્ષેત્રનું વર્ણન
શિખરી પર્વતની ઉત્તરે આવેલ છે. બધુ ભરત ક્ષેત્રની જેમ જાણવું. ઉત્તર તરફ લવણ સમુદ્રને સ્પર્શેલું છે. રક્તા અને રક્તાવતી નામની નદીઓ છે. બાકી બધુ ભરત ક્ષેત્ર પ્રમાણે જાણવું.
મહાવિદેહના દક્ષિણ તરફની જે ૧૬ વિજયો ના ૧૬ અને ભરત ક્ષેત્રનો ૧ એમ સત્તર વૈતાઢ્યની બીજી મેખલામાં સૌધર્મ દેવલોકના લોકપાલ સોમ, યમ, વરૂણ અને કુબેરના આભિયોગિક સેવક દેવો તિર્યક્રમક દેવો અને વ્યંતર જાતિના દેવોના ભવનો છે અને તેમાં વ્યંતરો રહે છે. તેજ પ્રમાણે ઉત્તર તરફની ૧૬ વિજયો અને ઐરાવતનો- ૧ આ સત્તર ઉપર ઇશાનના લોકપાલના તિર્યક્રૂજાભક દેવો અને વ્યંતરો રહેલા
૩૨ વિજયો, ૧ ભરત, ૧ ઐરવત મલીને ૩૪ વિજયોમાં આવેલા દીર્ધ વૈતાઢ્યો ક્ષેત્રના બે ભાગ પાડે છે અને તે બન્ને ભાગમાં પૂર્વ પશ્ચિમ બન્ને તરફ એક એક એમ બે નદી હોવાથી વૈતાઢ્યની ઉત્તરે ત્રણ અને દક્ષિણે ત્રણ ક્ષેત્રના (વિજયના) છ ખંડ થાય છે. ચક્રવર્તી છે એ ખંડ સાધે છે. વાસુદેવ દક્ષિણ તરફના ત્રણ સાધે છે. રાજધાનીની નગરી દક્ષિણ તરફના ત્રણ ખંડના વચલા ખંડની મધ્યમાં આવેલી હોય છે. આ વચલા ખંડમાંજ સાડી પચ્ચીશ આર્યદેશ આવેલ છે. ત્રેસઠ શલાકા પુરૂષો પણ સાડા પચ્ચીશ આર્ય દેશમાં જ થાય છે અને ધર્મ પણ તે ખંડમાં જ થાય છે અને છે. આ વચલા ખંડના બાકીના દેશ અને બાકીના પાંચ ખંડના બધા દેશ મલી ૩૧૯૭૪ દેશો અનાર્યો છે. એટલે કુલ ૨પી + ૩૧૯૭૪ = ૩૨૦૦૦ દેશો એક એક વિજયના થઇને છ ખંડના થાય છે. સાડી પચ્ચીશ આર્યદેશના નામો અને તેની રાજધાનીનાં નામો
દેશના નામ રાજધાની ના નામ ગામની સંખ્યા (૧) મગધ દેશ
રાજગૃહી
૬૬ લાખ Page 137 of 234