SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ટીકાકાર મહર્ષિ શ્લોકોદ્વારા નરકમાં રહેલાં આત્માઓની દુર્દશાનું દિગ્દર્શન કરાવે તે પૂર્વે આપણે, નરકના જીવો કેટલા પ્રકારની કેવી વેદનાઓ ભોગવે છે એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં યોગશાસ્ત્રની અંદર જે થયેલું છે તે સહજ જોઇ લઇએ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં સંસાર ભાવનાના સ્વરૂપને વિસ્તારમાં નીચતમ નરકગતિમાં રહેલા આત્માઓ નરકગતિમાં કેટલા પ્રકારનાં દુઃખોથી રીબાતા વસે છે એનું વર્ણન કરે છે અને એ વર્ણનમાં ફરમાવે છે કે - "आधेपु निपु नरकेपण्ण, शीतं परेषु च । चतुर्थ शीतमुष्णं च, दुःखं क्षेत्रोद्भवं त्विदम् //9// नरकेपुष्णशीतेषु, चेत पतेल्लोहपर्वतः । विलीयेत विशीत, तदा भुवमनाप्नुवन //// उदीरितमहादुःखा, अन्योन्येनासुरैव ते । હતિ ક્ષિત્તિ:વાત, વસત્તિ નરવનો //// નરક સાત છે, તેમાંની પ્રથમ ત્રણ નરકમાં શીત વેદના છે, ચોથી નરકમાં શીત અને ઉષ્ણ ઉભય છે અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી એ ત્રણ નરકમાં ઉષ્ણ વેદના છે. આ શીત, શીતોષ્ણ અને ઉષ્ણ વેદના ક્ષેત્રસ્વભાવથી જ ઉત્પન્ન થયેલી હોય છે. વળી એ ઉષ્ણ અને શીત નરકોમાં જો કદાચ લોઢાનો પર્વત પડે તો તે પણ ભૂમિ ઉપર પહોંચવા પૂર્વે જ વિલીન થઇ જાય અને વિખરી જાય. વધુમાં બીચારા એ નરકમાં પડેલા જીવોને પરસ્પરના યુદ્ધથી અને અસુરોથી મહા દુઃખ ઉત્પન્ન થાય છે : અર્થાત્ એ જીવોની દુર્દશા એક ક્ષેત્રવેદનાથી જ નથી અટકતી પણ પરસ્પરના યુદ્ધથી પણ એ જીવો ઘણા દુઃખી થાય છે અને અસુરો દ્વારા પણ એ જીવોની ન વર્ણવી શકાય તેવી કનડગત થાય છે : એ રીતિએ ત્રણ પ્રકારનાં દુઃખોથી પીડાતાં તે જીવો નરકની અવનિમાં વસે છે. આ ઉપરથી એ વસ્તુ ઘણીજ સહેલાઇથી સમજી શકાશે કે-નરકના જીવોને એક ક્ષણની પણ શાંતિ હોઇ શકતી નથી. નરકનું ક્ષેત્રજ એવું હોય છે કે-ત્યાં સ્વાભાવિક રીતિએજ શીત અને ઉષ્ણ વેદના ભયંકર હોય છે. એ શીત અને ઉષ્ણ વેદનાના સ્વરૂપનો સહજ ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ એટલુંજ જણાવ્યું કે : લોઢાનો પર્વત જો નરકના ક્ષેત્રમાં રહેલી શીતતામાં કે ઉષ્ણતામાં પડે તો તે નરકક્ષેત્રની ભૂમિ ઉપર પહોંચતાં પહેલાં જ વિલય પામી જાય અને વિખરી જાય.” વિચારો કે એ કેવી ભયંકર શીત વેદના અને ઉષ્ણ વેદના? એવા પ્રકારની શીત વેદના અને ઉષ્ણ વેદના જીવન પર્યત ઇચ્છા હોય કે ન હોય તો પણ નરકમાં પડેલા જીવોને ભોગવ્યા વિના છૂટકો જ નથી. નરકમાં પડેલા Page 104 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy