SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પડશે, એ વાત યાદ છે ? જો એ વાત યાદ હોય, તો રોજ વિચાર કરવો જોઇએ કે- “આજે મેં કેવા કેવા વિચારો કર્યા અને એથી મને કેવા કેવા પ્રકારનો કર્મબંધ થયો હશે?' આવો વિચાર કરો, તો તમને એમ પણ થાય કે- “મને આવા હિંસાદિના વિચારો આવ્યા શાથી ?' એ વખતે ખ્યાલ આવે કે- “ વિષયરસ અને કષાયરસની કેવી ભયંકરતા છે?' સ. નબળાઇને અંગે પણ એવા વિચાર આવી જાય, એવું બને ને ? વિષયરસ અને કષાયરસ ન હોય અને માત્ર નબળાઇ હોય, તો તે અશુભ વિચારોનો હૈયામાં જબરો ડંખ હોય, ક્યારે નબળાઇ ટળે, એમ થયા જ કરે. નબળાઇમાં પણ “કેમ વેઠી લઉં અને પાપથી બચું.” -એમ થયા કરે. ‘નબળાઇ પણ પાપના ઉદયનું પરિણામ છે.” -એવો ખ્યાલ હોય અને નબળાઇના યોગે પાપમાં પ્રવર્તવું પડે છે.' –એવો ખ્યાલ હોય; એટલે નબળાઇના કારણે પણ વધુ પાપમાં ખેંચી જવાય નહિ. એની કાળજી તો હોય ને ? એના હૈયામાં પાપની રૂચિ તો હોય જ નહિ. તમે એ વિચારી જુઓ કે-તમારા હૈયામાં પાપની રૂચિ છે કે નહિ ? એ સમજવાને માટે, તમે તમારા અભિપ્રાયોના સ્વરૂપને પિછાનતાં શીખો. આપણી વાત તો અભિપ્રાયભેદની છે. ધન કમાવાને નીકળેલામાં પણ અભિપ્રાયભેદ હોય ને ? ધના કમાવું છે, પણ ધનની કમાણી કરવાને માટે અનીતિ તો કરવી જ નથી, એવી વૃત્તિ જીવમાં હોઇ શકે છે ને ? તમે ગૃહસ્થ છો, માટે તમારે ધન મેળવવું પણ પડે છે અને ધન સંઘરવું પણ પડે છે; પણ ધનને મેળવતાં અને ધનને સાચવતાં, હિંસાદિક ભાવોથી બચવાની કાળજી ખરી કે નહિ ? કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા. એ ત્રણ લેશ્યાઓને નરકના આયુષ્યના આશ્રવો પૈકી ગણાવેલ છે. કારણ કે-આ સિવાયની લેશ્યાઓમાં વર્તનારો જીવ, નરકમાં આયુષ્યને ઉપાજૅ જ નહિ, આપણે કયી લેગ્યામાં વર્તીએ છીએ-તેનું માપ. આપણે આપણા અભિપ્રાય ઉપરથી કાઢી શકીએ છીએ. તમે, હવે તો, તમે ક્યારે ક્યારે કયી કયી. લેશ્યામાં વર્તો છો, તેનું માપ કાઢવાનો યથાશક્ય પ્રયત્ન કર્યા કરવાના ને ? સંજ્ઞાઓ અને વેશ્યાઓમાં ભેદ છે, ત્યાં આત્મવેદના (જીવને પોતાને જે અનુભવમાં આવે) તે સંજ્ઞા તે બે પ્રકારની છે. (૧) જીવોના શદ્રવીર્યથી-યોગથી ઉત્પન્ન થયેલી અને (૨) અશુદ્ધ વીર્યથી-યોગથી ઉત્પન્ન થયેલી. ત્યાં પરિણામથી ઉત્પન્ન થયેલી અને શ્લેષ દ્રવ્યરૂપ કર્મગત ભાવવાળી (તે ભાવલેશ્યા) અને કૃષ્ણાદિ દ્રવ્યના સાચિત્રપણાથી (સંબંધથી) ટિકની પેઠે આત્મા (જે રીતે કૃષ્ણાદિ ભાવ વાળો થાય છે તે કૃષ્ણાદિ દ્રવ્યો) દ્રવ્યલેશ્યા છે. (તે ૬ વેશ્યાઓનાં દ્રષ્ટાન્ત આ પ્રમાણે) જેમ અત્યંત પાકી ગયેલા ળોના બહુ ભાર વડે નમી ગયેલ સર્વ અંગવાળા જે મહાન જંબૂવૃક્ષને (કોઇ ૬ મુસાોએ) દેખ્યો. તે સર્વેએ એકબીજાને કહ્યું કે આપણે બીજા ળો વિગેરેથી શું કામ છે ? આ જંબળોનું જ ભક્ષણ કરીએ. પરન્તુ તેમાં એકે કહ્યું મૂળ સહિત વૃક્ષ નીચે પાડીએ ઇત્યાદિ રીતે યાવત છઠ્ઠાએ કહ્યું કે કેવળ જાંબૂ જે નીચે પડ્યાં છે તેજ વીણી લઇએ ૬ જુદા જુદા કથન રૂપ દ્રષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે છે-જે એમ કહે છે કે વૃક્ષને મૂળમાંથી જ છેદો તે જીવ JUIનેશ્યા માં વર્તે છે, અને મહાશાખાઓને છેદવાનું કહેનાર બીનખેશ્યા માં વર્તે છે. પ્રશાખાઓ છેદવાનું કહેનાર છાપોત વેશ્યાવાળો, ગુચ્છાઓ છેદવાનું કહેનાર તેજલેશ્યામાં, ફળો તોડી ખાવાનું કહેનાર પદ્મલેશ્યામાં અને પડેલાં ફળ વીણી ખાવાનું કહેનાર શુક્લા લેશ્યામાં વર્તે છે અથવા બીજું પણ ઉદાહરણ આ પ્રમાણે છે. એક ગામનો વધ કરવા માટે (એટલે ગામને હણીને પણ ચોરી કરવા માટે) ૬ ચોર નિકળ્યા, તેમાંના એક ચોરે કહ્યું કે દ્વિપદ (મનુષ્યાદિ હોય) કે ચતુષ્પદ (પશુ આદિ) જે હોય તે સર્વનો જે દેખાય તેનો ઘાત કરવો. બીજો કહે છે (પશુનો નહિ પણ) Page 60 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy