________________
કહેલું છે.
આ કષાયનો ઉદય સ્વાભાવિક રીતે થતો નથી પણ પુરૂષાર્થથી પેદા કરવો પડે તે કષાય લાવવા. માટે તે જીવો ધીમે ધીમે પ્રયત્ન કરી પછી જોરદાર આ કષાયનો ઉદય પેદા કરે છે. જેમ કે આચાર્ય ભગવંત કાલિકસૂરિ મહારાજાના શાસનમાં જે રાજા ગદભિલ્લ રાજ્ય કરતો હતો તેને સાધ્વીજીનું રૂપ જોઇ તેના પકડીને પોતાના અંત:પુરમાં દાખલ કરી દીધી. આ સમાચાર આચાર્ય ભગવંતને તથા સંઘને મળ્યા. આચાર્ય મહારાજે સંઘના શ્રાવકોને તૈયાર કરી રાજાને સમજાવવા મોકલ્યા, પણ રાજા માનતો નથી. પછી આચાર્ય ભગવંત ખુદ જઇ તે રાજાને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ રાજા સમજતો નથી, ત્યારે આચાર્ય ભગવતે પાંચ આગેવાન શ્રાવકોને બોલાવી કહ્યું કે, રાજા આમ માનતો નથી, માટે તેને મનાવવા અને સાધ્વીજી મહારાજનાં શીલનું રક્ષણ કરવા માટે હવે મારી શક્તિ છતાં તેનો ઉપયોગ ન કરું અને સાધ્વીજીને ન છોડાવું તો અત્યાર સુધી ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થઇ ગયા તેઓએ જેટલું પાપ ઉપાર્જન કર્યું તે સઘળું પાપ મને લાગે એવો વિચાર કરી આ ગુસ્સો ઉદયમાં લાવીને શ્રાવકોને કહ્યું કે હવે હું ગાંડો થાઉં છું, કપડા કાઢીને ગામમાં ત્રણ દિવસ રખડીશ, અને પછી ગામ છોડીને ભાગી જઇશ, અને બીજા દેશમાં ચાલી જઇશ તે જાણશો. એમ કહી કપડા કાઢી ગામમાં તાં તાં બોલે છે કે અરાજકમ જગત્ ! જગતમાં કોઇ રાજા રહ્યો નથી એમ ત્રણ દિવસ ગામમાં ફ્રી ગામ છોડી બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં રાજાને પ્રતિબોધ કરીને રાજાની સાથે સેને લઇને યુધ્ધ કરવા માટે ઘોડા ઉપર બેસીને ખુલ્લી તલવાર સાથે મેદાનમાં આવ્યા. ત્યાં રાજાની સામે ઘોડો લઇ જઇ ઘોડા ઉપરથી રાજાને નીચે પાડી તેની છાતી ઉપર ચઢીને રાજાને કહ્યું કે, “બોલ મને ઓળખે છે ? હું કોણ છું ? સાધ્વીજીને છોડી દે તો જીવતો છોડું નહિંતર આ તલવારથી તારા મસ્તકનો છેદ કરી નાખીશ ! રાજા ઓળખી ગયો. માફી માંગી સાધ્વીજીને છોડી દીધી. ! જો આ વખતે ગુસ્સામાં અને ગુસ્સામાં ઉપયોગ ન રહ્યો હોત અને તલવારથી મસ્તકનો છેદ કરી નાખ્યો હોત તો પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત થઇ જાત. અને અનંતાનુબંધિ કષાય ઉદયમાં આવી જાત. પણ ઉપયોગ બરોબર રાખીને શીલ રક્ષા માટે કષાય કરેલો હોવાથી આ પ્રશસ્ત કષાયના કારણે રાજાને તરત જ છોડી દીધો. આ સંજ્વલન અનંતાનુબંધિ કષાય કહેવાય છે.
આવી જ રીતે વિષ્ણુકુમાર મુનિએ સાધુ સંસ્થાના રક્ષણ માટે સંજ્વલન અનંતાનુબંધિ કષાય કરેલા હતો. તે આ રીતે
વિષ્ણુકુમાર મુનિના ભાઇ રાજા હતા. તેના દેશમાં સાધુભગવંતો વિચરતાં હતા. તે રાજાનો જે મંત્રી હતો તે સાધુઓનો દ્વેષી હતો તે મંત્રી રાજાને વિશ્વાસમાં લઇ સાત દિવસ રાજ્ય પોતે મેળવી રાજા થયો છે. તે નમુચિ રાજાએ સાધુઓને હુકમ કર્યો કે મારા રાજ્યમાંથી વિહાર કરી ચાલતા થઇ જાવ, સાત દિવસમાં મારા દેશની હદ પૂર્ણ કરો તે વખતે આ રાજા છ ખંડના માલિક છે. સાત દિવસમાં શી રીતે મહાત્માઓ જઇ શકે ? અને છ ખંડ છોડી મહાત્મા ક્યાં રહે ? આ રીતે મહાત્માઓએ રાજા પાસે જઇ વાત કરી, વિનંતી. કરી પણ તે માનવા તૈયાર નથી. આથી આચાર્ય ભગવંતે મકાનમાં આવી સાધુઓને ભેગા કરી કહ્યું કે કોઇ મહાત્માની પાસે શક્તિ છે, વિધા છે તો વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવવાના છે. કારણ કે તેમના વગર કામ થશે નહિ ! ત્યારે એક મહાત્માએ કહ્યું કે, મારી પાસે તે જ્યાં છે ત્યાં પહોંચવાની શક્તિ રૂપે વિધા છે, પણ પાછા આવવાની નથી ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હમણાં જ જલ્દી ત્યાં પહોંચો નહિંતર પછી ધ્યાનમાં બેસી જશે તો આવશે નહિ. એ આજ્ઞા લઇ તે મહાત્મા આકાશ ગામિની વિધાથી વિષ્ણુકુમાર મુનિ પાસે પહોંચ્યા. મહાત્માએ કહ્યું કે ગુરૂ મહારાજે મોકલ્યો છે અને આપને ત્યાં બોલાવ્યા છે. વિષ્ણુકુમાર
Page 39 of 161