________________
તે ખાઇ લે. કોઇના સમાચાર લેવાના નહિ. સારું નરસું કરવાનું નહિ. એટલે ઘરે જમવા પુરતી જવા માટેની અનુમોદના હોય છે. તો પણ સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ અંતરમાંથી જતો નથી. આ માટે અભયકુમારને ઠગનારી વેશ્યા જે ચંડપ્રદ્યોત રાજા પાસેથી ઇનામ સારૂં મેળવવાની લાલચે સાધ્વીજી પાસે વેશ્યાએ બીજી દશ પંદર પોતાની સખીઓને લઇ શ્રાવકપણાને લાયક જૈન ધર્મનો અભ્યાસ કર્યો. શ્રાવકના વ્રતો કેટલા હોય કયા કયા તેનું પાલન કઇ રીતે થાય તે જાણીને શ્રાવકના બારવ્રતો ઉચ્ચરીને ઉંચામાં ઉંચી. કોટીનું શ્રાવિકાપણું પાલન કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવી ધર્મશાળામાં ઉતરેલા છે અને રોજ નવા. નવા મંદિરના દર્શન કરવા જાય છે. તે દર્શન કરતાં કરતાં એકવાર શ્રેણિક મહારાજાના ઘર મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં જઇ સારા રાગથી ભગવાન જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે. તેનો અવાજ સાંભળી અભયકુમાર ઉઠીને જોવા માટે આવેલ છે અને અંદર ભાવવાહી શબ્દોની સ્તુતિઓ સાંભળીને અભયકુમાર બહાર ઉભો રહે છે. કારણ કે જો અંદર જઉં તો આ શ્રાવિકાઓની ભાવના તૂટી જાય, માટે
જ્યાં સુધી તેઓ સો બહાર ન નીકળ્યા ત્યાં સુધી બહાર જ ઉભો રહ્યો. જ્યારે શ્રાવિકાઓ બહાર આવી એટલે ખબર પડી કે પરદેશથી આવેલી જણાય છે. એટલે પૂછયું કે તમો પરદેશથી આવેલા લાગો છો ! ત્યારે વેશ્યા શ્રવિકાએ કહ્યું હા ! તો આજે જમવાનું આમંત્રણ અમારે ત્યાં મને લાભ આપો ! ત્યારે વેશ્યા. શ્રાવિકાએ કહ્યું કે જ્યારે અમે નવા મંદિરના દર્શન કરીએ છીએ તે વખતે અમારે ઉપવાસ હોય છે. માટે અમે કોઇ જમનાર નથી. આ સાંભળી અભયકુમાર કહે છે કે કેવો ઉંચો નિયમ આવા તો નિયમ હું કરી શકતો નથી ધન્ય છે ! ' આવતીકાલે પારણાનો લાભ અને આખો દિવસ જમવાનો લાભ મને આપો ! એટલે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે અમારે નિયમ છે કે જે કોઇ અમારા ત્યાંનું આમંત્રણ સ્વીકારે તેને ત્યાં અમો જઇએ છીએ. અભયકુમારે કહ્યું હું તમારે ત્યાં આવીશ, કાલના મને લાભ આપો ત્યારે વેશ્યા શ્રાવિકાએ હા કહી. બીજા દિવસે જમવા-પારણા માટે આવ્યા તો જ્યાં પાટલો-થાળી બેસણીયું જે ગોઠવેલું હતું તે દ્રષ્ટિ પડિલેહણથી જોઇ પૂંજી પ્રર્માજી પછી બેઠા અને અભયકુમારે પોતે જે ચીજો બનાવેલી તે પીરસવા લાગ્યો. તો તે વખતે કહે આમાં શું નાંખ્યું છે? આ અમારે બંધ છે. એમ બનાવેલી બધી ચીજો બતાવી તો દરેક ચીજોમાં કાંઇને કાંઇ નાખેલું હોવાથી બંધ છે એ જણાવ્યું. અભયકુમાર કહે છે તો પછી મારે તમોને શું જમાડવું ? ત્યારે શ્રાવિકાએ કહ્યું કે જે ઘરમાં સુકુ પાકુ હશે તે ચાલશે. અંતે તે આપ્યું. પારણું કરાવ્યું અને ઉક્યા પછી અભયકુમારને આમંત્રણ આપ્યું કે આવતીકાલે અમારે ત્યાં જમવા પધારવાનું આમંત્રણ છે. અભયકુમાર વચનથી બંધાયેલા હતા માટે હા કહી. બીજા દિવસે લેવા આવી. જમાડતાં જમાડતાં ચંદ્રહાસ (દારૂ) પાઇ દીધો અને બાંધીને ઉપાડીને લઇને ચાલતાં થયાં. ચંડuધોત રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજસભામાં હાજર થયા કે ઘેન ઉતરતાં અભયકુમાર કહે છે કે ધર્મની બાબતમાં છલ કરીને મને પકડવો તેમાં કાંઇ આશ્ચર્ય નથી. અહીંથી છૂટ્યા પછી આ ચંડપ્રદ્યોત રાજાને ભરબજાર વચ્ચે દિવસના બપોરના ટાઇમે બાંધીને ન લઇ જાઉં તો મારું નામ અભયકુમાર નહિ ! આપણી મૂળ વાત એ છે કે વેશ્યા શ્રાવિકાએ આ વ્રતોનું નિરતિચારપણે પાલન કર્યું તે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી. આ રીતે જીવો આ કષાયના ઉદયથી શ્રાવકપણું પણ પાળી શકે છે. પણ મિથ્યાત્વની મંદતા થાય નહિ. અનંતાનુબંધિ સંજવલન ક્યાય -
આ કષાયના ઉદયથી જીવોને આલોક અને પરલોકના સુખને માટે શ્રદ્ધા પેદા થઇ શકે છે કે, સંસારના અનુકૂળ પદાર્થોનો ત્યાગ કરીને જ્ઞાનીએ કહ્યા મુજબ નિરતિચારપણે ચારિત્ર લઇને પાલના
Page 32 of 161