________________
માન્યતા જરૂર હોય કે સંસારમાં રહ્યા છીએ તો સંસારમાં સની અનુકૂળતા કર્યા બાદ એટલે બધાયની અનુકૂળતા સાચવીને પછી ટાઇમ રહે તો ધર્મ કરો. એમાં ના નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સંસારમાં પતિ-માતા-પિતા આદિની અનુકળતા સાચવવી એ પણ ધર્મ છે. એમ વિચારીને ધર્મ કરનારને વિઘ્નરૂપ ના થાય. કદાચ કોકવાર અનુકુળતા પોતાની ન સચવાય તો પોતે તે અનુકૂળતાની જગ્યાએ પ્રતિકૂળતા વેઠીને પણ ધર્મ કરનારને અનુકુળતા કરી આપે. પણ પોતાને ધર્મ કરવાની વાત કરે તો કહે આપણાથી ના થાય. બહુ બહુ તો દાન દઇશું, મંદિરે જઇશું, કોક કોકવાર ટાઇમ મળશે તો સાધુ પાસે જઇશું, પણ વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાત આવે તો કહે એ આપણાથી ન થાય. એ આલોકનાં સુખની આસક્તિના કારણે અઢાર પાપ સ્થાનકમાંથી કોઇપણ પાપનું સેવન કરવું પડે તો તીવ્ર ભાવે ન કરે પણ સંસારમાં બેઠા છીએ, કટુંબ લઇને બેઠા છીએ, આપણી ક્રજ છે હું નહીં કરું તો કોણ કરે ? ઇત્યાદિ માન્યતા રાખીને પાપનું સેવન પણ કરે, કરવાના વિચારોમાં પણ રહે અને તે કરાવવા માટેનાં વચનો પણ બોલે. આવા આર્તધ્યાનનાં વિચારોમાં મોટાભાગે એ જીવો રહેતા હોય છે. બીજા જીવોના સુખની ઇર્ષ્યા આ જીવોનાં અંતરમાં મોટે ભાગે હોતી નથી. સૌ પોતપોતાના પુણ્યથી મેળવે છે અને ભોગવે છે. તેમાં આપણે શું? પણ આ વિચારની સાથે અંતરમાં સંસારના સુખની પ્રધાનતા રાખીન જીવન જીવતા હોય, ધર્મ ગૌણ હોય, જ્યાં સુધી બીજા કરી લે ત્યાં સુધી પોતાને ભાવના ન થાય, આવા આર્તધ્યાનમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે આલોકમાં માતા-પિતા-ધણી-ધણીયાણી-દીકરા-દીકરી-સ્નેહી-સંબંધી આદિનો રાગ રાખીને ધર્મ પ્રવૃત્તિ જીવો કરે તો. તેનાથી એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં જવા લાયક કર્મનો બંધ કરે છે. એવી જ રીતે આચારાંગ સૂત્રમાં પણ જણાવેલ છે કે શુભ પરિણામથી ધર્મ આરાધના કરવાથી શુધ્ધ પરિણામ પેદા થયેલ ન હોય અને તે પેદા કરવાનું લક્ષ્ય પણ ન હોય તો એ આરાધનાથી જીવોને આલોકના પદાર્થોની આસક્તિ હોય છે અને પરલોકના સુખની ઇચ્છાથી કરતાં હોય છે. તેના કારણે શુભ પરિણામની ધારા વિશેષ રહેતી હોવાથી આ જીવો શુભ આર્તધ્યાનથી મનુષ્યગતિનો બંધ કરે અને એની સાથે સાથે અંતર્મુહૂર્તનાં આયુષ્યવાળા મનુષ્ય આયુષ્યના અનુબંધ બાંધી શક છે. માટે આ કષાયમાં જીવો આયુષ્ય બાંધે તો નિયમા તિર્યંચાયુષ્યનો બંધ કરે છે. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્યાય :
આ કષાયના ઉદયવાળા જીવો ધર્મની સમજણ મેળવીને પોતાની શક્તિ મુજબ વ્રત નિયમ પચ્ચકખાણ કરતાં કરતાં શ્રાવકના બાર વ્રતોને ગ્રહણ કરી નિરતિચારપણે પાલન કરે છે. વ્યવહારમાં શ્રાવકપણા રૂપેની તેની છાપ રહેલી હોય છે. પણ અંતરથી અનુકૂળ પદાર્થોનો રાગ છોડવાની ભાવના હોતી. નથી. એ રાગ ખરાબ છે. મારા આત્માને નુક્શાનકારક છે. તેનાથી હું દુ:ખી થયો છું. આ વિચાર પણ કરવા તૈયાર નથી અને એ શ્રાવકપણું પાળતાં આલોકના સુખની ઇરછા અથવા પરલોકના સુખની ઇરછા, રાખીને પાળતા હોય છે. આથી આ જીવોનાં પરિણામ કષાયના કારણે મંદ પડેલા દેખાય, પણ મિથ્યાત્વ ગાઢ રહેલું હોય છે. આથી આ જીવો પરલોકને માને છે. પરલોક માટે આલોકમાં ત્યાગ તપશ્ચર્યા વગેરે કરે છે. તેથી આ જીવોને આયુષ્ય બંધાય તો મનુષ્યનું આયુષ્ય બંધાય છે. શ્રાવકના બાર વ્રત નિરતિચારપણે પાલન કરતાં કરતાં સારો કાળ હોય તો અગ્યાર પ્રતિમા શ્રાવકની વહન કરી ચોવીસે કલાક ઉપાશ્રયમાં રહી ધર્મ આરાધના કરે. ઘરે માત્ર જમવા પુરતું બેટંક કે ત્રણ વાર જવું પડે માટે જાય, એમાં પણ જે આપે
Page 31 of 161