________________
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ અને કાપોત.
૮. ઇન્દ્રિય-૪. સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષુરીન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના. છેલ્લા અંતર્મુહૂર્તે મરણ. ચઉરીન્દ્રિયનું પહેલા આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં મનુષ્ય કે તિર્યંચ મરી ચઉરીન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત એ કષાય હોય છે. તે વખતે કષાય સમુદ્દાત હોય.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ. વિગ્રહગતિમાં કાર્મણ અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યામૃષા વચનયોગ પર્યાપ્તાવસ્થામાં ઔદારિક અસત્યામૃષાવચન યોગ.
૧૫. ઉપયોગ-૪. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાત, અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા પ્રમાણ. ૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો હોય.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ - મરીને દશ દંડકમાં જાય. . પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકમાંથી ચઉરીન્દ્રિયમાં આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ, અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણેય વેદો હોય છે. ૧૦. પંચેન્દ્રિય તિર્યંચ દડને વિષે :
૧. શરીર-૪. ઔદારિક, વૈક્રીય, તૈજસ અને કાર્મણ શરીર. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૬ ગાઉ.
વૈક્રોય શરીરની જઘન્ય - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ - ૬.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬.
૫. સંસ્થાન-૬.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
Page 131 of 161