________________
લોભ.
૭. લેશ્યા-૨. જઘન્ય આયુષ્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી નીલ લેશ્મા બાકીના આયુષ્યવાળાને કૃષ્ણ લેશ્યા હોય છે.
૮. ઇન્દ્રિય - પાંચ. સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તૈજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન.
૧૨. જ્ઞાન-૩. મતિ, શ્રુત, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વૈક્રીય શરીર વખતે વૈક્રીય મિશ્રયોગ અને પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં અને વૈક્રીય કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન. સમ્યદ્રષ્ટિ જીવોને-૬. 3 જ્ઞાન અને ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિ જીવોને-૬. ૩ અજ્ઞાન અને ૩ દર્શન.
૧૬. ઉપપાત. એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામી શકે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય-૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ-૧૭ સાગરોપમ.
૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન.
૨૦. કિમાહાર. ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી નિયમા છ દિશાનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી સંજ્ઞા-દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા.
૨૨. ગતિ - આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં
જાય છે.
૨૩. આગતિ - સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો પાંચમી નારકીમાં
આવે છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. લિંગાકારે નપુંસક વેદ હોય અને ભાવથી પરાવર્તમાન રૂપે ત્રણેય વેદ હોય
છે.
છઠ્ઠી નારકીને વિષે :
૧. શરીર-૩. વૈક્રીય, વૈજસ અને કાર્પણ શરીર.
૨. અવગાહના :- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ. ઉત્તર વૈક્રીય આશ્રયી જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ.
૩. સંઘયણ નથી. શક્તિની અપેક્ષાએ છેવટ્ટુ સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
Page 117 of 161