________________
૫. સંસ્થાન - હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. ક્રોધ, માન, માયા અને લોભ અથવા અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ચાર.
૭. લેશ્યા - એક કાપો લેશ્યા. ૮. ઇન્દ્રિય - પાંચ ઇન્દ્રિયો હોય છે. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ એ પાંચ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ-મિશ્રદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય. ૧૧. દર્શન-૩. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. સમકીતી જીવોને આ ત્રણ જ્ઞાન હોય છે. ૧૩. અજ્ઞાન-૩, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન.
૧૪. યોગ-૧૧. ચાર મનનાં, ચાર વચનનાં, વેક્રીય કાયયોગ, વક્રીય મિશ્રકાયયોગ, કામણ કાયયોગ.
અપર્યાપ્ત અવસ્થામાં વિગ્રહગતિમાં રહેલા જીવોને કાર્પણ કાયયોગ અપર્યાપ્ત અવસ્થામાં વક્રીયા મિશ્ર કાયયોગ.
પર્યાપ્તા નારકીને ચાર મનના, ચાર વચનના, વક્રીય કાયયોગ. ઉત્તર વૈક્રીય શરીર કરનારને વક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ૩ દર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. 3 અજ્ઞાન , મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. સમકીતિ જીવોને કણજ્ઞાન ત્રણ દર્શન હોય છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સાથે એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન – એક સાથે એક, બે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્યથી એક સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિ. ૨૦. હિમાહાર - ત્રસ નાડીમાં રહેતા હોવાથી ત્રસ જીવો હોવાથી નિયમા છ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી - દીર્ધકાલિની સંજ્ઞા અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. આ જીવો મરીને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થઇ શકે છે, જાય છે.
૨૩. આગતિ-સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો મરીને નરકમાં આવે
૨૪. વેદ લિંગાકારે એક નપુંસક વેદ હોય છે અને ભાવથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ત્રણેય વેદ હોય છે. ત્રીજી નારકીને વિષે:
૧. શરીર-૩. વક્રીય, તેજસ અને કાર્પણ શરીર. ૨. અવગાહના-૩૧૧ (સવા એકત્રીશ) ધનુષ.
Page 114 of 161