SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શકાશે કે-મૂચ્છરહિત બનેલા આત્માઓ ધર્મોપકરણોને રાખનારા પણ જે મુનિઓ શરીર અને ઉપકરણને વિષે નિર્મમ છે, તેઓ “અપરિગ્રહ' નામના મહાવ્રતને ધરનારા જ છે. નિર્મમ હોવા છતાંય, ધર્મોપકરણ રાખવા માત્રથી પરિગ્રહ આવી જાય અને એવાઓનો મોક્ષ ન થાય, એમ બોલનારા તો માત્ર ખોટો પ્રલાપ જ કરનારા છે. મહાત્માઓની મહત્તા સમજવા માટે - અહિંસાદિ પાંચે ય મહાવ્રતોના આવા સ્વરૂપને સમજનારાઓ યથેચ્છાચારિઓને મહાવ્રતધારી માનવાની મૂર્ખાઇ કદી પણ રે નહિ, એ નિર્વિવાદ છે. દુનિયાદારીની સઘળી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા, લગ્નાદિમાં ગોર આદિ બનનારા અને સઘળીય દુન્યવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનારાઓ જ્યારે પોતાની જાતને મહાવ્રતોને ધરનારી માને અને મનાવે ત્યારે ખરે જ તેઓ અતિશય દયાના પાત્ર બની જાય છે. અનંતજ્ઞાનિઓઅ ક્રમાવેલાં અહિંસા આદિ પાંચે મહાવ્રતો રૂપ મહાભારને ધરવામાં એક ધુરન્ધર સમા મુનિઓ જ ઉત્તમ પાત્ર તરીકે ગણાય છે. પણ જેઓ મહાવ્રતોને ધરનારા નથી અને એથી વિપરીત વર્તન કરવામાં જ શૂરા-પૂરા છે. તેવા. મિથ્યાત્વરોગથી રીબાતા આત્માઓ કોઇ પણ પાત્રની ગણનામાં આવતા જ નથી. આ પાંચ. મહાવ્રતોને અંગે પ્રત્યેક વ્રત સંબંધી પાંચ પાંચ ભાવનાઓ પણ ઉપકારી મહાપુરૂષોએ વર્ણવી છે. આ મહાવ્રતોનું સ્વરૂપ સમજાય, તો જ મહાવ્રતધારી મહાત્માઓની સાચી મહત્તા ખ્યાલમાં આવે. પાંચ મહાવ્રતોને ધરનારા મહાત્માઓ અષ્ટ પ્રવચન માતાના ભક્ત બનીને જે ઉન્નત અને ઉપકારક જીવના જીવે છે, તેવું ઉન્નત અને ઉપકારક જીવન દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે એ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્માદિથી અજ્ઞાનો આકર્ષવા એ શક્ય છે. પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સશ્રદ્ધાળ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. પાંચમાં મહાવતની પાંચ ભાવનાઓ : હવે આપણે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓના સંબંધમાં પણ થોડુંક વિચારી લઇએ. બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ કાંઇ પણ ન હોવું' એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ છે. “સ્પર્શ, રસ, ગંધ, રૂપ, ચક્ષ, શબ્દ' -આ પાંચ સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. સુંદર એવા સ્પશદિમાં વૃદ્ધિપણાનું વર્જન અને અસુંદર એવા સ્પર્શાદિમાં દ્વેષનું વર્જન-એ પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનો રહસ્યાર્થ છે. સુસ્પર્ધાદિમાં આસક્તિ અને અસુંદર સ્પર્ધાદિમાં ઉદ્વિગ્નતા, એ આત્માની પરિગ્રહમય દશાનું પ્રતીક છે. પાંચમા મહાવ્રતને પામીને તેને સુવિશુદ્ધ રીતિએ પાળવા. હોય, તો આ પાંચ ભાવનાઓથી રંગાઇ જઇ આના અમલ માટે ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરૂર છે. સુન્દર સ્પર્શની આસક્તિ અને અસુન્દર સ્પર્શની ઉદ્વિગ્નતા ન જોઇએ : ૧- “સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતા.” -એ પાંચમા મહાવ્રતને દૂષિત કરનારી વસ્તુ છે, માટે “એ બેનો પરિત્યાગ આ જ મુખ્ય કર્તવ્ય છે.' -આ જાતિની પહેલી Page 99 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy