________________
થાય અગર તો વિના ઇરછાએ પણ તેને વસતિ આપવાજોગી સ્થિતિમાં મૂકાવું ન પડે, એવી રીતિએ મુનિઓએ વસતિની યાચના કરવી જોઇએ. અત્યારે ઇંદ્ર પાસે કે ચક્રવર્તિ પાસે વસતિ યાચવાનો પ્રસંગ આવે એમ નથી, પણ મંડલાધિપતિ આદિ પાસે માગી શકાય એવો પ્રસંગ છે. માની લો કે એક કોઇ આજનો અમુક પ્રદેશનો રાજા ભક્ત છે અને એના રાજ્યમાં આપણે વિહરીએ છીએ, એટલે એને જ આપણે કહી દઇએ કે- “સ્થળે સ્થળે સારા સ્થાનની વ્યવસ્થા થાય તો ઠીક.” –એટલે એ સર્વત્ર હુકમો આપે : હવે સ્થળ સ્થળના મકાનમાલિકોની ઇચ્છા ન હોય તોય રાજાના હુકમથી તેઓને પોતાનાં મકાનો ખોલી આપવાં પડે, તો એ વસ્તુતઃ સાચી અવગ્રહયાચના નથી. વસતિના માલિક પાસે પણ એને અપ્રીતિ ન થાય, એ રીતિએ સમજાવીને જ અવગ્રહની યાચના કરવી જોઇએ. એ જ રીતિએ પ્રથમ આવીને કોઇ સાધઓ મકાનના મિલાક પાસે વસતિ માગીને રહ્યા છે : એ પછી કોઇ સાધુઓ આવ્યા, કે જે સાધુઓનો વસતિનો માલિક ભક્ત હોય : હવે જો એની પાસે જ અન એ જ વસતિ માગવામાં આવે, તો શું થાય ? મકાનનો માલિક પાછળથી આવેલા સાધુઓને હા પાડે અને પ્રથમના સાધુઓની ઇચ્છા ન હોય છતાં પણ માલિકના કહેવાથી પહેલાંના સાધુઓને પોતે યાચી લીધેલા સ્થાનમાં જગ્યા આપવી પડે : પણ એ રીતિની યાચનાય શાસ્ત્રવિહિત નથી. ઘણી વાર આવો જાતિની આજ્ઞા બહારની યાચનાથી પરસ્પર વિરોધ આદિ અનેક દોષો સરજાય છે અને એના પરિણામે અદત્તપરિભોગજનિત પાપકર્મ બંધાય છે. વસતિનો માલિક સમર્થ હોય તો રાજાના હુકમની સામે થઇને પણ ભયંકર ધાંધલ રાજ્યમાં ઉભું કરે છે અને પરિણામે રાજા-પ્રજા વચ્ચે વૈમનસ્ય વધે છે. આથી પણ પ્રસંગ પામી એવા મકાનના માલિકને રાજા કોઇને કોઇ નિમિત્તથી
Iલ આદિ કરે અથવા મકાનનો માલિક સમર્થ હોય તો રાજાને પણ ગાદી ઉપરથી ઉઠાડી. મૂકવાની પ્રવૃત્તિ આચરે-આવી આવી અનેક ઉપાધિઓ આ લોકમાં જ ઉભી થઇ જાય. એ જ રીતિએ, પ્રથમ આવીને ઉતરેલા સાધુઓ વસતિના માલિકના કહેવાથી કદાચ રોષે ભરાય, વસતિ ખાલી કરીને ચાલ્યા જાય અથવા તો “નથી આપતા, તેં અમને પ્રથમ આપી છે અને અમારી મુદત પૂરી થયા પછી જ તું બીજાને આપી શકે છે.” –આવી આવી ધાંધલમાં પડી જાય, તો આ લોકમાં અકાલે અનેક જાતિના ઉપદ્રવો મચવાનો સંભવ છે. સાધુઓના એવા પ્રલાપથી કદાચ એમેય બને કે-વસતિનો માલિક રોષે ભરાઇને સાધુઓને કાઢવા પણ તૈયાર થાય અને કાઢી પણ મૂકે ! આ કારણે, પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓએ પૂર્વ-પૂર્વના અવગ્રહને બાધ્ય જણાવી ઉત્તર-ઉત્તરના અવગ્રહને બાધક જણાવ્યો છે અને વિચાર પૂર્વક અવગ્રહને યાચવો જોઇએ-એવી આજ્ઞા માવી છે. જો આ આજ્ઞાનો અમલ કરવામાં ન આવે તો આ લોકમાં પરસ્પર વિરોધ દ્વારા અકાલે કાઢવા આદિના પ્રસંગો રૂપ દોષો જન્મ અને પરલોકમાં અદત્ત-પરિભોગજનિત પાપકર્મને ભોગવવાનો પ્રસંગ ઉભો થાય. આ કારણે, ખૂબ વિચારપૂર્વક અવગ્રહ યાચવાની ભાવનાને આત્મસાત્ બનાવી દેવી, આ પણ બીજા વ્રતના સુવિશુદ્ધ પાલક માટે ખૂબ જ જરૂરી છે. વસતિ સંબંધી કુસ્પૃહાઓ -
અભિમાન અને લાગવગ આદિથી સારી સારી વસતિઓને શોધનારા સાધુઓ આ પ્રથમ ભાવનાને આત્મામાં ઓતપ્રોત બનાવી શકતા નથી. વસતિની બાબતમાં સાધુઓએ સુકોમળ બનવું, સારી જ વસતિ જોઇએ એવો આગ્રહ સેવનારા બનવું, એ બહુ ભયંકર છે. દુનિયામાં એવા
Page 88 of 211