________________
દુ:ખી જીવોના દુ:ખને દૂર કરવાના હેતુથી જેઓ અનુકંપાદાન કરે છે, તેમને તો પોતાના દયાના પરિણામો દ્વારા અને દુખિના દુ:ખનો નાશ કરવાની પ્રવૃત્તિ દ્વારા લાભ જ થાય છે. એને એ જીવ ગમે તેટલું ખરાબ વર્તન કરતો હોય, તો પણ તેની સાથે સંબંધ નથી અનુકંપાદાનમાં, અનુકંપાને પાત્ર જીવોની ખરાબીને પોષવાનો હોતુ નથી, જ્યારે ધર્મોપગ્રહદાનમાં તો એ દાન દ્વારા ધર્મને પોષવાનો હેતુ છે. ધર્મોપગ્રહદાનમાં જો પાવાપાત્રની વિચારણા કરીને પાત્રદાન કરવા તરફ લક્ષ્ય આપે નહિ, તો ધમપગ્રહદાનનો હેતુ બર આવે નહિ અને અનુકંપાદાનમાં જો પાસપાત્રની વિચારણા કરવા માંડે તો અનુકંપાદાનનો જે હેતુ-દયાભાવથી દુઃખિત દુ:ખનો નાશ કરવાનો હેતુ-તે બર આવે નહિ. આ વસ્તુને નહિ સમજી શકનારા તેરાપંથી સાધુઓ વિગેરે, આજે ભદ્રિક જનતાના દયાભાવનો વાત કરવાનો અને દુ:ખી જીવોના દુ:ખનિવારણનો નિષેધ કરીને અન્તરાયાદિ કર્મોને ઉપાર્જવાનો ધંધો લઇ બેઠા છે. દયાળુ આત્માઓએ તો એવા દયાઘાતક આત્માઓને છાંયે પણ જવું નહિ .
સાધુને નહિ રવા લાયગૃહસ્થોને અવશ્ય ક્રવા લાયક
આ ગાથામાં ધર્મોપગ્રહદાન સાથે મૂકેલ આદિ શબ્દ શ્રી જિનપૂજાનો સૂચક છે. ભાવશ્રાવક જો શક્ય હોય તો શ્રી જિનપૂજા વિના રહી શકે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના સેવક તરીકે પોતાને માનનારા આત્માઓ, એ તારકોની સેવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરનારા હોય, એ સાદી અક્કલથી સમજાય તેવી વાત છે. સાધુઓએ પોતાની પાસે એવી સામગ્રી રાખી નથી કે જેથી તેઓ દ્રવ્યપૂજા કરી શકે. સાધુઓ પાસે જે કાંઇ બાકી છે, તે મન, વચન અને કાયા, આ ત્રણ યોગો છે અને એ ત્રણેય યોગોને સાધુઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સેવામાં અર્પણ કરી દીધેલા જ છે. ગૃહસ્થો પાસે તો દ્રવ્યાદિ છે અને આરંભાદિનો તેમણે સર્વથા ત્યાગ કરેલો નથી, એ કારણે ગૃહસ્થો પોતાની પાસેની વસ્તુઓ દ્વારા જે રીતિએ શ્રી જિનપૂજાદિ થઇ શકતાં હોય, તે રીતિએ તે કરે છે. દાનમાં પણ કેટલુંક એવું જ છે કે- શ્રાવકો ગૃહસ્થો હોઇને જ તેમને માટે દાનનું તેવું વિધાન છે. આથી સાધુઓ જે કાંઇ ન કરતા હોય, તે ગૃહસ્થોને પણ કરવા લાયક જ નથી-એમ કહી શકાય નહિ. સાધુઓ તરીકે એક ચીજ કરવા લાયક ન હોય, પણ ગૃહસ્થો તરીકે એ જ ચીજ અવશ્ય કરવા લાયક હોય, એવું શ્રી જિનપૂજાની જેમ ધર્મોપગ્રહદાનાદિમાં પણ સમજવું જોઇએ.
દેશવિરતિ આત્માઓનાં છ લક્ષણો
આ રીતિએ આપણે આ નવમી વિંશિકાની પહેલી ગાથાને અવલંબીને ભાવ શ્રાવકોમાં જેઓ દર્શન શ્રાવક તરીકે ઓળખાય છે. તેઓ કેવા હોય છે. એ વિચારી આવ્યા. એ પણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત હોય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે અને નિત્ય શ્રી જિનવચનનું શ્રવણ કરવામાં રતિવાળા હોય છે. આવા આત્માઓ જો સમ્યકત્વને ગુમાવી દેતા નથી અને ભવિતવ્યતા આદિ જો અનુકૂળ હોય છે, તો તેઓ શુદ્ધિ ચિત્ત અને તેના યોગે થતા ધર્મોપગ્રહદાનાદિ રૂપ પુરૂષાર્થ દ્વારા વિરતિના પરિણામોને અવશ્ય પામે છે. તેમાં કોઇ દેશવિરતિ જોગા પરિણામોને પણ પામે છે અને કોઇ સર્વવિરતિ જોગા પરિણામોને પણ પામે છે. આ રીતિએ જે
Page 62 of 211