________________
વિગેરેને લઇને તેને પાપ કરવું પડે, તો પણ કિંચિત કરે : એટલે કે બને એટલું ઓછું જ કરે અને તે કિચિત્ પ્રમાણમાં કરતાં પણ તેનું હૈયું પે. પાપ ઘટે ક્યારે ?
કિંચિત્ પાપ થાય અને વધારે ન થાય, એ ક્યારે બને ? કહેવું જ પડશે કે-
પૌલિક પદાર્થોની જરૂરીયાત નિરૂપાયે અને ઓછી જ મનાય ત્યારે ! લક્ષ્મી આવે એની તેવી ફીકર નહિ : શ્રી ધનાજી પગ મૂકતા ને નિધાન નીકળતા : એ રીતિએ પ્રયત્ન અલ્પ છતાં પણ પુણ્યનાં યોગે. હજારો મળે, એની વાત જુદી છે : એ રીતિની પ્રાપ્તિ થઇ જાય તો સદુપયોગ કરાય, અનેક આત્માઓ મોક્ષમાર્ગી થાય તેવી યોજનાઓ કરાય, પણ શ્રાવકને ધનની ઇચ્છા કેવી અને કેટલી હોય ? -એ ખાસ વિચારવા જેવું છે. સમ્યગ્દષ્ટિ એવું એવું જરૂરી ન જ માને, કે જેથી પાપની પરંપરા વધે ! એ તો પાપભીર હોય : અને તેનામાં પાપભીરતા હોવાને કારણે તે આત્માને પાપને આદરપૂર્વક સેવવાની વાસના જ ન થાય, તે તદન સ્વાભાવિક છે. ધર્મી આત્મામાં દ્રવ્યના વિષયમાં સંતોષની પ્રધાનતા હોવી જોઇએ. તે આત્મામાં ધનનો લોભ કરી શકાય, એવી વૃત્તિ નહિ હોવી જોઇએ. શ્રાવકની ધનેચ્છા કેવી ?
ઉત્તમ શ્રાવકની એ વૃત્તિને બતાવવાને માટે સુવિહિત-શિરોમણિ, આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“તથા-દ્રવ્ય સંતોuપર (પ્રધાન) તેતિ” 'द्रव्ये' धनधान्यादौ विषये 'संतोषप्रधानता' परिमितेनैव निर्वाहमात्रहेतुना द्रव्येण संतोषवता धार्मिकेणैव भवितव्य मित्यर्थ: असंतोपस्यासुखहेतुत्वात्, यदुच्यते
“अत्युप्णात् सवृतादना-दच्छिद्रात्सितवाससः | अपरप्रेप्याभावाच्य, शेषमिच्छन् पतत्यध: ।।१।।"
તિ, તથા"संतोपामृततृप्तानां, यत्सुखं शान्तचेतसाम् ।
તરતદ્વામુઘાની-મિત૨તતશ્વ ઘાવતામ્ IIશા” પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા, આ દ્વારા એ જ ક્રમાવે છે કે- “ધર્મી આત્માએ ધન અને ધાન્ય આદિના વિષયમાં બહુ જ સંતુષ્ટ રહેવું જોઇએ : એટલે કે-માત્ર નિર્વાહ જેટલું પરિમિત મળી જાય, તેટલાથી જ ધર્મી આત્માએ સંતોષ માનવો જોઇએ : કારણ કે-અસંતોષ, એ દુઃખનો હેતુ છે. એ જ કારણે કહેવામાં આવ્યું છે કે- “અતિ ઉષ્ણ ઘીવાળું ભોજન, છિદ્ર વિનાનું શ્વેત વસ્ત્ર અને પરના નોકરપણાનો અભાવ, આ ત્રણ વસ્તુઓથી અધિકની ઇચ્છા આત્માનો અધ:પાત થાય છે.' તથા સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત થયેલા અને એ જ કારણે શાંતચિત્ત બનેલા આત્માઓને જે સુખની પ્રાપ્તિ થાય, તે સુખની પ્રાપ્તિ ધનના લોભી બનેલા અને એ જ કારણે આમથી તેમ દોડાદોડી કરનારા આત્માઓને ક્યાંથી જ થઇ શકે ? અર્થાત્ ન જ થઇ શકે.”
આ કારણે એ મહાપુરૂષો વધુમાં એમ પણ માને છે કે
Page 46 of 211