SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ) તેને હું ક્યારે છોડીશ ? જે દિવસે છોડીશ તે દિવસ મારો ધન્ય છે ! બોજો મનોરથ ક્યારે હું મુંડ થઇને દશ પ્રકારે યતિધર્મ ધારી, નવાવાડે વિશુદ્ધ બ્રહ્મચારી, સર્વ સાવધ પરિહારી, અણગારના સત્તાવીશ ગુણધારી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિએ વિશુદ્ધ વિહારી, મોટા અભિગ્રહનો ધારી, બેંતાલીશ દોષ રહિત વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમધારી, બાર ભેદે તપસ્યાકારી, અંત પ્રાંત આહારી, અરસ આહારી, વિરસ આહારી, રૂક્ષ આહારી, તુચ્છ આહારી, અંતજીવી, પ્રાંતજીવી, અરસજીવી, વિરસજીવી, રૂક્ષજીવી, તુચ્છજીવી, સર્વ રસત્યાગી, છક્કાયનો દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, પંખી અને વાયરાની પરે અપ્રતિબદ્ધ વિહારી, વીતરાગની આજ્ઞા સહિત એવા ગુણોનો ધારક અણગાર હું ક્યારે થઇશ ? જે દિવસે હું પૂર્વોક્ત ગુણવાન થઇશ તે દિવસે મારો ધન્ય છે. ત્રીજો મનોરથ ક્યારે હું સર્વ પાપસ્થાનક આલોવી, નિ:શલ્ય થઇ, સર્વ જીવરાશીને ખમાવીને, સર્વ વ્રતને સંભારી, અઢાર પાપસ્થાનકને વિવિધ ત્રિવિધ વોસિરાવી, ચારે આહાર પચ્ચખ્ખી, શરીરને પણ છેલ્લે શ્વાસોશ્વાસે વોસિરાવી ત્રણ પ્રકારની આરાધના આરાધતો થકો, ચાર મંગલિકરૂપ ચાર શરણ મુખે ઉચ્ચરતાં થકો, સર્વ સંસારને પૂંઠ દેતો થકો, એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથો કેવલિપ્રરૂપિત ધર્મ, તેને ધ્યાવતો થકો શરીરની મમતા રહિત થયો થકો, પાદોપગમન અનશણ યુક્ત, પાંચ અતિચાર ટાળતો થકો, મરણને અણવાંછતો થકો પંડિતમરણ અંતકાળે હું ક્યારે પ્રાપ્ત કરીશ ? જે દિવસે તેવા મરણને હું આદરીશ તે દિવસ મહારો ધન્ય છે ! સમ્યગ્દષ્ટિ પાપથી ક્યું - આરંભાદિકમાં પડેલા આત્માને ઉદ્વરવા માટે પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલાં અનુષ્ઠાનોને આરાધતાં, સમ્યગ્દષ્ટિ આત્મા “હેતુહિંસા' નો ઉપાસક ન બની જાય અને નિરૂપાયે સેવવી પડતી હેતુહિંસાજનક ક્રિયાઓમાં રક્ત બનીને, “અનુબંધહિંસા' નો ઉપાસક ન બની જાય, એય એ આત્માની આ સંસારમાં એક વિશિષ્ટતા છે કારણ કે-તે વસ્તુના સ્વરૂપને પામી ગયેલો છે, એટલે આ સંસાર કે સંસારના રંગરાગ તે આત્માન મુંઝવી શકતા નથી. જે આત્મા સંસાર અને સંસારનો રંગરાગ સેવવાના પરિણામને જાણે, તે આત્મા તેમાં ન જ મુંઝાય, એ એક સાદામાં સાદી વાત છે. આથી જ કહેવાય છે કે- “સમ્યગ્દષ્ટિ આત્મા અનંતજ્ઞાનિઓએ કહેલાં અઢારે પાપસ્થાનકોને પાપસ્થાનકો તરીકે જ માને અને એથી તે પવિત્ર આત્માને- “હું પાપ કરું તો સારૂં' –એવો વિચાર પણ ન આવે. તે આત્મા સંસારમાં પડેલો હોવાથી, તેને અમૂક પાપ કર્યા વિના ચાલતું ન હોય એ કારણે કરે, તો પણ તે કંપતે જ હૃદયે : પણ નહિ કે-રાચીમાચીને !” આથી સ્પષ્ટ છે કે- “સમ્યગ્દષ્ટિ આત્મા પાપને પુણ્ય માનવા તૈયાર ન જ હોય.' તે પુણ્યાત્મા તો પાપને પાપ જ માને, પણ ફ્લાઇ જવાને કારણે, સંયોગોની વિપરીતતાના યોગે અગર તો પોતાની ક્યતાકાત Page 45 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy