SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજી પોતાની કબુલાત વિસરી ગયા ન હતા અથવા બોલ્યા બાદ કાર્ય સિદ્ધ થવાના કારણે ફ્રી બેસે તેવા ન હતા. તેમણે કિરાતોને ગુડ આદિ દ્રવ્યનું સભાવ દાન કર્યું અને સુસ્થાનમાં પ્રભુજીનું અર્ચન કરવાનું આરંભી દીધું. આ પ્રકારે કરવાથી ક્રમશઃ એ એક મહાતીર્થ રૂપે પ્રગટ થયું, જેનો મહામહિમા અપૂર્વ બન્યો. ચોતરથી અનેક સંઘો ત્યાં પ્રભુના દર્શને આવવા લાગ્યા. શ્રાવકજીને આ પુણ્યપ્રભાવે એક પુત્રરત્નની પ્રાપ્તિ થઇ, જેમનું નામ સાધુ-હાલ હતું. તેઓ પોરવાડોમાં અગ્રેસર હતા. તેમણે ત્યાં અજોડ મંદિર બંધાવ્યું. માલવદેશના સ્વામી રાજાએ આ તીર્થનું માહાલ્ય સુચ્યું, જેથી એમના માનસમાંય ભક્તિભાવ જાગૃત થયો. આથી તેમણે પણ શ્રી અરિહંતદેવની પૂજા, ધ્વજ તથા સ્નાત્રાદિ મહોત્સવો આરંભી દીધા. આ પ્રકારે તે સુશ્રાદ્ધ શ્રાવકજીએ દેવની પૂજા કરી, નિયમનું દ્રઢ રીતિએ પાલન કર્યું અને જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ઃ તેમજ અણમોલા માનવજીવનને એક આદર્શભૂત દિવ્ય જીવન બનાવી અત્તે સુગતિ પ્રાપ્ત કરી. શ્રાવદના ત્રણ મનોરથ આ ત્રણ મનોરથ શ્રાવક મન, વચન અને કાયાએ કરી શુદ્ધ પણે ધ્યાવતો થકો સર્વ કર્મ નિર્જરીને સંસારનો અંત કરે અને-મોક્ષરૂપ શાશ્વત સ્થાનક શિધ્રપમે પામે. પહેલો મનોરથ ક્યારે હું બાહ્ય તથા અત્યંતર પરિગ્રહ જે મહાપાપનું મૂળ, દુર્ગતિને વધારનાર, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય ને કષાયનો સ્વામી, મહાદુઃખનું કારણ, મહા અનર્થકારી, દુર્ગતિની શીલારૂપ માઠી વેશ્યાનો પરિણામી, અજ્ઞાન, મોહ, મત્સર, રાગ અને દ્વેષનું મૂળ, દશવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષનો દાવાનળ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સંતોષ, તથા બોધિબીજરૂપ સમકિતનો નાશ કરનારો, કુમતિ તથા કુબુદ્ધિરૂપ દુ:ખ દારિદ્રનો દેવાવાળો, સંયમ તથા બ્રહ્મચર્યનો નાશ કરનારો, સુમતિ તથા સુબુદ્વિરૂપ સુખ સૌભાગ્યનો નાશ કરનારો, તપ સંયમરૂપ ધનને લુંટનારો, લોભકલેશરૂપ સમુદ્રને વધારનારો, જન્મ, જરા અને મરણનો દેવાવાળો, કપટનો. ભંડાર, મિથ્યાત્વદર્શનરૂપ શલ્યથી ભરેલો, મોક્ષમાર્ગનો વિજ્ઞકારી, કડવા કર્મવિપાકનો દેવાવાળો, અનંત સંસારને વધારનારો, મહા પાપી, પાંચ ઇંદ્રિયના વિષયરૂપ વૈરીની પુષ્ટિ કરનારો, મોટી ચિંતા, શોક, ગારવ અને ખેદનો કરાવનારો, સંસારરૂપ અગાધ વલ્લીને સિંચવાવાળો, કૂડકપટ અને કલેશનો આગર, મોટા ખેદને કરાવનારોમંદબુદ્વિઓએ આદરેલો, ઉત્તમ સાધુ નિગ્રંથોએ જેને નિધો છે એવો અને સર્વ લોકમાં સર્વ જીવોને જેના સરખો બીજો કોઇ વિષમ નથી એવો, મોહરૂપ નિવાસનો પ્રતિબંધક, ઇહલોક તથા પરલોકના સુખનો નાશ કરનારો, પાંચ આશ્રવનો આગર, અનંત દારૂણ દુ:ખ અને ભયનો દેવાવાળો, મોટા સાવધ વ્યાપાર, કુવાણિજ્ય અને કર્માદાનોનો કરાવનારો, અધૃવ, અનિત્ય, અશાશ્વતો, અસાર, અબાણ, અશરણ એવો (જે Page 44 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy