SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તો છૂટી શકે, પરંતુ ધર્મસ્થાનકમાંજ જ્યારે પાપ બંધાય તો પછી તે છુટવાને બદલે બંધાય છે. અરે, જૈન કુળમાં ઉત્પન્ન થયેલા નામધારી જૈનો પણ જાણતા હશે કે-આપણે જ્યારે દહેરાસર અથવા ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં બિસીહિ કહેવા પૂર્વક એટલે દુનિયાદારી સંબંધી તમામ કાર્યોનો નિષેધ કરીનેજ પ્રવેશ કરીએ છીયે. બિસીહિ કહેવા પૂર્વક ધર્મશ્રવણ કરવા આવેલ ગૃહસ્થો આગળ સાવધના ત્યાગી પંચમહાવ્રતધારી મુનિરાજો દુનિયાદારોનો અથવા જેમાં વિકથા હોય એવો ઉપદેશ આપી શકે જ નહિ, તે સુજ્ઞ વાંચક વર્ગ સ્વયં વિચારશે. શ્રાવકથી બીલકુલ દુનિયાદારીનો ઉપદેશ માગી શકાય નહિ. આવી રીતે સ્પષ્ટ છે છતાં જો સાધુ ઉપદેશ આપે ને શ્રાવકો સાંભળે તો ઉપદેશ કરનાર સાધુ, એ સાધુ નથી ને શ્રાવક, એ શ્રાવક નથી. માટે સાવધના ત્યાગી મુનિવર્યોએ તથા તેમના ઉપાસકોએ ધર્મસ્થાનકોમાં વિકથાદિનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. તેનો ત્યાગ કરવા પૂર્વક મન, વચન, કાયાના સંયમ પૂર્વક બે હાથ જોડી બાહ્ય વિનયપૂર્વક ને અત્યંતર હૃદયના પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તે જિનવચન શ્રવણ કરવું. ઉપર મુજબ ક્યારે સાંભળી શકાય ? જ્યારે તીવ્ર કર્મનો નાશ કરો ત્યારે. તીવ્ર કર્મના નાશ સિવાય વિકથાદિ રહિત ઉપયોગ પૂર્વક જિનવચન શ્રવણનો સંભવ નથી. આથી સ્પષ્ટ થાય છે કે ધર્મ સ્થાનકે ભારે કર્મી આત્માઓ જિનવચન શ્રવણનો લાભ લઇ શકતા નથી, પરંતુ હળવા કર્મી આત્માઓ વિકથાદિ રહિત ઉપયોગપૂર્વક-બહુમાન પૂર્વક શ્રવણ શઠતાદિથી રહિતપણાએ ઉપયોગ પૂર્વક પરલોકહિત કરવાવાળું જિનવચનનું શ્રવણ કરે તે આત્મા ઉત્કૃષ્ટ વા શુકલપાક્ષિક શ્રાવક હોઇ શકે, સાથે સમજી પણ લેવાનું કે તે શ્રાવક શુકલપાક્ષિક હાઇ અપાઈ પુદ્ગલ પરાવર્તમાં મોક્ષ પામવાવાળો જાણવો. ઉક્ત સ્વરૂપ શ્રાવકોતીતિ શબ્દ વિષયીમૂત જાણવો આવે શ્રાવક ધર્માધિકારે બીજે પુનઃ વિશેષણ રહિત સાંભળવા વડે, સંભાળાવવા વડે અથવા નામાદિભેદ ભિન્ન શ્રાવક કહેવાય છે. નિયમી શ્રાવ માનવજીવન અણમોલું છે કિંવા દુર્લભતમ છે. અતિશયિત પુણ્યશાલિ મહાનુભાગથી જ તે સુપ્રાપ્ય છે અથવા તો સકૃત્ પ્રાપ્તિ-અનન્તર પુનઃ દુષ્પ્રાપ્ય છે. ઇત્યાદિ સુવાક્યો તો સનાતન સત્યસ્વરૂપ છે. એમાં શંકા કરવી એ સ્વસત્તામાં સન્દેહ કરવા તુલ્ય છે. તથાપિ કેવલ અનાદિકાલતઃ સ્વતઃસિદ્ધ હોવા માત્રથી આ વાક્યો લાભપ્રદ બની જતા નથી યા તો ફ્લીભૂત થઇ ચતા નથી, કિંવા માત્ર આવા સોનેરી અગર તો ટંકશાલિ વાક્યોની સનાતન સત્યતા ઉપરથી જ અનેરી અમૂલ્યતા પોતાને માટે અંકાઇ શકતી નથી. એ તો અસન્દિગ્ધ સ્વતોરૂઢ હોઇ સત્યાર્થ ખ્યાપન કરે તે નિર્વિવાદ છે. પરન્તુ માનવજીવનની દુર્લભતા જેટલી એ ભવપ્રાપ્તિ પૂરતી નથી, તેથી વિશેષ એ ભવપ્રાપ્તિ બાદ માનવી જીવન જીવવા પૂરતી છે-દિવ્ય જીવન જીવવા પૂરતી છે. બાકી જેમ એ જીવન સર્વોત્કૃષ્ટ ફ્લદાયક હોઇ પવિત્રતમ છે, તેમ સર્વોપકૃષ્ટ નરક ફ્લપ્રદ હોઇ અપવિત્રતમ પણ છે. એટલે જો એની દુર્લભતમતા કોઇના પર પણ નિર્ભર હોય, તો તે કેવળ એ જીવન પામી દિવ્ય જીવન જીવવામાં જ છે. બાકી જેઓ મોહની મદિરાના પાનથી છકી જઇ, તેના ગેબી કેથી છાકટા બની જઇ યથેચ્છ મ્હાલે છે અને ભાન ભૂલી જઇ સ્વેચ્છાએ વિહરે છે, તેઓ તો હાથમાં આવેલી બાજીને બગાડી નાંખે Page 37 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy