SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રો બનાવ્યાં છે, જે હાલ મોજુદ છે.” આવું જે બોલવું તે નર્યું અજ્ઞાન છે. કારણ-લબ્ધિધરોએ પણ પોતાની લબ્ધિઓનો ઉપયોગ પોતાના દેહને માટે કર્યો નથી એમ શાસ્ત્રમાં જણાવે છે. જેમ સનતકુમાર આદિ મહાત્માઓનાં દ્રષ્ટાંતો છે. તો પછી દુનિયાદારીને પોષવા માટે બીજાને બતાવેજ ક્યાંથી ? અર્થા-નજ બતાવે. શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રન્થોની અંદર શ્રાવકધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, પણ દુનિયાદારીને પોષી નથી. જો દુનિયાદારીને પોષે તો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફે શું ? કારણ જ્ઞાનીઓએ તો જણાવ્યું કે- સંસારાવલિ દ્રા નીર સંસાર એ દાવાનળ છે. અહિં સુજ્ઞ વાંચક વર્ગ વિચારશે કે-જે સંસારને જ્ઞાનીઓ દાવાનળ તરીકે ઓળખાવે છે, તે જ્ઞાનીઓ સંસારરૂપી દાવાનળને વધારવા તમોને શું અર્થકામની લાલચો બતાવશે ખરા ? અર્થાત્ નહિ જ બતાવે. કારણ સંસારરૂપી દાવાનળમાં તમામ પ્રાણીઓ બળી રહ્યાં છે. તે બળી રહેલાં પ્રાણીઓને બચાવવાનો જ્ઞાની પ્રયત્ન કરે કે સંસારપોષક રૂપ લાકડાં હોમી વિશેષ પ્રકારે બાળે ? કહેવું જ પડશે કે-પોતે સંસારને દાવાનળ માનીને નીકળ્યા અને બીજાઓને તેમાં રહેવાનું કહી અર્થકામનો ઉપદેશ દે, તો તે ખરેખર મૂર્ખ અને અજ્ઞાની કહેવાય. અરે મૂર્ખ હોય તે પણ સારો, કારણ કે તે પણ સમજે કે આ અગ્નિ છે, અડીશું તો દાઝીશું, તો તે પણ ન અડે. કોઇ બાળક અડતો હોય તો પણ ના પાડે, પરંતુ પોતે સંસારને દાવાનળ માનનાર બીજાને સારો કહી, અર્થકામનો ઉપદેશ આપી, તેમાં વિશેષ બાળનારને શું ઉપનામ આપી શકાય, તે વિચારણીય છે. વળી કલ્પસૂત્રમાં કુંકણ દેશના વૃદ્ધ સાધુનું દ્રષ્ટાંત તો જાણીતું જ છે કે-કાઉસ્સગમાં વાર થઇ ત્યારે ગુરૂ મહારાજે પૂછયું કે-આટલી બધી વાર કેમ થઇ ? ઉત્તરમાં વૃદ્ધ સાધુ જણાવ્યું કે-દયા ચિંતવી. પુનઃ ઉત્તરમાં જણાવ્યું કે-ખેતીનો ટાઇમ થવા આવ્યો છે, મારા પુત્રો નિશ્ચિત છે, તેઓ ખેતરમાં સુડ નહિ કરે તો ધાન્ય બરાબર પાકશે નહિ તો બિચારા શું ખાશે. ગુરૂ મહારાજે જણાવ્યું કે-તેં દુર્ગાન ચિંતવ્યું. વાંચક વર્ગ વિચારશે કે જ્યારે પોતાના પુત્રો સંબંધી આ લોકની ચિંતા માત્ર કરવાથી ખરાબ ધ્યાન કહેવાય તો પછી મોક્ષાર્થી મુનિઓ આરંભ-સમારંભ યુક્ત એવો અર્થકામનો ઉપદેશ કેવી રીતે આપી શકે ? નજ આપી શકે. કોઇ બહલકર્મી આત્મા સંસારપોષક ઉપદેશ આપે. તોય મોક્ષાર્થી શ્રાવક સાંભળેજ નહિ. જો સંસારના કારણ એવા અર્થકામની પુષ્ટિનો ઉપદેશ મુનિ આપે તો ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે-અર્થની દેશના જે આપે તે શાસ્ત્રને લોપનાર છે અને મોક્ષમાર્ગનો ચોર છે. તેથી જ મોક્ષમાર્ગ તેનાથી ચલાવી શકાતો નથી. તેમજ સંસારપોષક પાપોપદેશ કોઇ કાલમાં જ્ઞાનીઓ આપતા નથી, આપ્યો નથી અને આપશે પણ નહિ. જ્ઞાનીની આજ્ઞાનુસાર અનુસરવાવાળા એવા જે મુનિ હોય તેમનાથી પણ પાપોપદેશ આપી શકાય નહિ, કારણકે-જે કોઇ કાળમાં, જે ક્ષેત્રમાં ઝેર ખાઇએ તો મરી જવાય, તેમ સંસાર વૃદ્વિરૂપ પાપોપદેશ, દેનાર ને સાંભળનાર બેઉને દુર્ગતિમાં લઇ જનાર છે. કોઇ જણાવે કે-જગતના ઉદ્ધાર વાસ્ત બહષભદેવપ્રભુએ પુરૂષની તેમજ સ્ત્રીની ૭૨ તથા ૬૪ કળાઓ તથા સો શિલ્પશાસ્ત્રો વિગેરે બનાવ્યું; તો પછી ત્યાગી મુનિઓ જગતના ઉપકાર માટે સંસારવ્યવહાર સંબંધીનું શિક્ષણ આપે તો શું વાંધો ? અને સમજવાની જરૂર છે કે પ્રભુએ રાજ્યાવસ્થામાં બતાવ્યું કે ત્યાગાવસ્થામાં ? કહેવું જ પડશે કે-રાજ્યાવસ્થામાં. હવે વિચારો કે-જે રાજ્યાવસ્થામાં બતાવેલ હોય તે ત્યાગાવસ્થામાં સ્વીકારી શકાય ? નહિ જ. કારણકે-રાજ્યવસ્થા પાપયુક્ત છે, જ્યારે ત્યાગાવસ્થા પાપરહિત છે. એથી જ રાજ્યાવસ્થામાં બતાવેલ કળાઓ વિગેરે પાપયુક્ત છે. કાલિકાલસર્વજ્ઞ ભગવાન Page 34 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy