SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) પ્રવજ્યા- આ ૧૭ ગુણો કહેવાય છે. પાંચમા આરામાં જન્મેલા જીવોનો મેક્ષ કેમ નહિ ? મન્ને કલિકાલ જીઆ સેવય જણ વચ્છલા અચલચિત્તા । નિલ્લોહાય અકિવિણા સાહસિયા નેરિસા પુષ્વિ || 3 || ભાવાર્થ :- હું માનું છું કે કલિકાલના જીવો (૧) રાગાદિ સેવકજન પ્રત્યે વત્સલ છે.(૨) મિથ્યાત્વાદિમાં અચલ ચિત્ત છે. (૩) સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે. (૪) ગર્વાદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે. (૫) ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન ડરે તેવા સાહસિક છે. સર્વાત્મના યતીદ્રાણા મેતચ્ચારિત્રમીરિતમ્ । યતિધર્માનુરક્તાનાં દેશતઃ સ્યાદગારિણામ્ ॥ ૧॥ ભાવાર્થ :- પૂર્વે કહેવાયું તે ચારિત્ર સર્વ પ્રકારે યતિન્દ્રોએ પાલવાનું છે અને યતિધર્મમાં અનુરક્ત એવા શ્રાવકોએ એનું દેશથી પાલન કરવાનું છે. મહા શ્રાવક્ર કોને કહેવાય ? એવં વ્રતસ્થિતો ભકત્યા સપ્તક્ષેત્યાં ધનં વપન્ । દયયા ચાતિદીનેષુ મહાશ્રાવક ઉચ્ચતે ।। ૧ ।। ભાવાર્થ :આવી રીતિએ સમ્યક્ત્વ મૂલ બાર વ્રતોમાં રહેલો જે આત્મા શ્રી જિનમૂર્તિ-શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ તથા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક અને અતિ દીનોમાં દયાપૂર્વક દ્રવ્યનો સદ્યય કરે છે ત મહાશ્રાવક કહેવાય છે. યઃ સદ્બાહ્ય મનિત્યં ચ ક્ષેત્રેશુ ન ધનં વપેત્ । કથં વરાકશ્વારિત્રમ્ દુશ્વર સ સમાચરેત્ ॥ ૨ ॥ પોતાની પાસે વિધમાન બાહ્ય અને અનિત્ય એવા ધનને જે ઉત્તમ ક્ષેત્રોમાં બિચારો દુ:ખે પાળી શકાય એવા ચારિત્રને કેવી રીતે આચરી શકશે ? નાધૃષ્ટઃ કસ્યચિત્ બ્રુયાન્ન ચાન્યાયન પૃચ્છતઃ | જાનન્નપિ હિ મેઘાવી જડવલ્લોક આચરેત્ ॥ ભાવાર્થ :વાપરી શકતો નથી તે ભાવાર્થ : પૂછ્યા વિના કોઇની સાથે બોલવું નહિ. ખરાબ ઇરાદાએ પૂછનારને પણ ઉત્તર આપવો નહિ. જાણવા છતાં બુધ્ધિમાન્ પુરૂષે અનર્થંકર બાબતોમાં કેવલ લોકને વિષે જડની જેમ આચરવુ જોઇએ. યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ કષાયાણાં તથા હતિઃ । સાનુબન્ધા જિનાજ્ઞા ચ તત્તપઃ શુધ્ધમિષ્યતે II (જ્ઞાનસાર) ભાવાર્થ :તપ કરનારમાં બ્રહ્મચર્યનું પાલન નિયમા હોવું જોઇએ. બ્રહ્મ એટલે આત્મા તેનું સ્વરૂપ તેમાં રમવું તે બ્રહ્મચર્ય. તપ કરનાર કર્મે સર્જેલા આત્માના વિભાવ રૂપ સ્વરૂપમાં રાચે નહિ. તપ કરનારો પોતાની શક્તિ મુજબ જિનેશ્વર દેવની પૂજા કરે. કષાયોની હત્યા કરે. જે તપમાં કષાયોની હિંસા-હત્યા હોય તે તપ શુધ્ધ છે. તપમાં શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એવું કરે કે તે જીવ સંસારમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી જિનની આજ્ઞા તેની સાથે રહે અને આવા જીવાને Page 27 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy