SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણશ્રેણી :- જે સ્થિતિનો સ્થિતિઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને ઉદય સમયથી આરંભીને સમયે સમયે અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા (ભોગવાય તેમ) ગોઠવે છે. સમયે સમયે અસંખ્યાતગુણા ઉપાડે છે. અને અસંખ્ય-અસંખ્યગુણા ગોઠવે છે. પહેલે સમયે જે દલિકો ઉપાડ્યા તે આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. બીજે સમયે જે અસંખ્યાતગુણા ઉપાડ્યા તે પણ આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. પણ પહેલો સમય ભોગવાઇ ગયો જેથી ગોઠવવાનું એક સ્થાન ઘટ્યું તેમ એક સમયે ભોગવાતો સમય ગોઠવવાના સ્થાનમાં ઘટે જવાનો, કારણ ઉદય સમયે ભોગવાય તેમ ઘટતો જાય. તેમ શ્રેણીના ઉપરના સમય વધતા નથી આ શ્રેણીની રચના અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી પણ થોડા સમય સુધી ઉદય આવે ત્યાં સુધી દલિકો ગોઠવવાની શ્રેણીની રચના થાય છે આ ગુણશ્રેણી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોની હોય છે. અપૂર્વ સ્થિતિબંધ :- એક સરખો સ્થિતિઘાત જેટલા સમય રહે તેટલા કાળને બંધ કાળાધ્ધ બંધકાળ કહે છે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત બન્નેનો કાળ એક સરખો છે જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા સ્થિતિબંધ કાલાધ્ધા થાય છે. જે પ્રમાણે સ્થિતિનો ઘાત થાય છે તેજ પ્રમાણે સ્થિતિબંધ પણ ઓછો થાય છે. આવા સ્થિતિબંધ કાલાદ્વા અપૂર્વકરણમાં હજારો થાય છે જેથી અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં ચરમ સમયે સંખ્યાતમોભાગ સ્થિતિબંધ થાય છે. આ ગુણસ્થાનક નિવૃત્તિ રૂપે હોવાથી અનિવૃત્તિ રૂપે કહેવાતું નથી. નિવૃત્તિ એટલે ફેરારી. એ ફેરારીના કારણે અધ્યવસાય એક સરખો રહેતો નથી માટે છ સ્થાન વૃધ્ધિનાં અને છ સ્થાન હાનિના પ્રાપ્ત થઇ શકે છે. તે છ સ્થાનોનાં નામો : વૃદ્ધિના છ સ્થાનોના નામ : (૧) અનંતભાગ વૃદ્ધિ (૩) સંખ્યાતભાગ વૃદ્ધિ (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ (૨) અસંખ્યાતભાગ વૃદ્ધિ (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ એજ રીતે હાનીના ૬ સ્થાનોના નામ : (૧) અનંતભાગહીન (૩) સંખ્યાતભાગહીન (૫) અસંખ્યાતગુણહીન આ ગુણસ્થાનકમાં બે સમકીતી જીવો હોય છે. (૧) ઉપશમ સમકીતી જીવો (૨) ક્ષાયિક સમકીતી જીવો (૨) અસંખ્યાતભાગહીન (૪) સંખ્યાતગુણહીન (૬) અનંતગુણહીન (૧) ઉપશમ સમકીતી જીવો - જે જીવોએ ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી હોય એ ક્ષયોપશમ સમકીતના કાળમાં ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાનું ઉપશમ સમીત પામેલા હોય એ જીવો જ આ ગુણસ્થાનકને પામી શકે છે. અને કેટલાક જીવો અગ્યારમા ગુણસ્થાનકથી પાછા ફરી ઉપશમ સમકીત લઇને આવેલા હોય એ જીવો હોય છે. આ ઉપશમ સમકીતી જીવો આ ગુણસ્થાનકમાં ચારિત્ર મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓ હવે જે ઉપશમાવવાની છે એટલે સંપૂર્ણ ઉપશમ કરવાનો છે એની પૂર્વ તૈયારી કરે છે એટલે કે આગળના Page 173 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy