SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) જીવાજીવમિશ્ન - ન્યૂનાધિક જીવાજીવ હોવા છતાં જીવાજીવ રાશિ છે એમ કહેવું તે. (o) અનંતમિશ્ર - પ્રત્યેક અને સાધારણ બંને હોવા છતાં અનંતકાય કહેવું. (૮) પ્રત્યેક - અનંતકાયથી યુક્તને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઓળખાવવા. (૯) અધ્યામિશ્ર - રાત ન પડી હોય તોપણ રાત પડી એમ કહેવું, સૂર્યોદય ન થયો હોય તો પણ સૂર્યોદય થયો એમ કહેવું ઇત્યાદિ. (૧) અલ્લાઅલ્લામિશ્ર - રાત કે દિવસના પ્રહરાદિ અન્ય પ્રહરાદિ સાથે મિશ્રિત કરીને બોલવા, જેમકે પ્રથમ પોરિસી વખતે મક્ય દિન કહેવો, છેલ્લા પ્રહર વખતે સંધ્યા સમય કહેવો ઇત્યાદિ. અનુભય-અસત્યામૃષા અથવા વ્યવહારભાષાના બાર પ્રકાર છે : સત્ય, અસત્ય અને મિશ્ર એ ત્રણ ભાષાથી વિપરીત લક્ષણવાળી ભાષાને શાસ્ત્રમાં “અસત્યામૃષા’ અપરનામ “વ્યવહારભાષા' કહે છે. સત્યાદિ ભાષાની જેમ તે પ્રવર્તક નિવર્તક નથી, કિન્તુ વ્યવહાર ચલાવવાના સાધન માત્રરૂપ છે. “સદ્રયો હિd સત્યમ્' એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે, સત્ એટલે સજ્જન પુરુષો, સુંદર (મૂલોત્તર) ગુણો અથવા જીવાજીવાદિ વિધમાન પદાર્થો તેને હિતકારી તે સત્ય કહેવાય છે. સજ્જન પુરુષો એટલે ઉત્તમ મુનિઓને હિતકારી, જેમકે આત્મા છે, કર્મ છે, પરલોક છે, ઇત્યાદિ-મુનિમાર્ગને અનુકુલ વચનો તે સત્ય છે. સુંદર મુલોત્તર ગુણો તેને હિતકર એટલે તેની આરાધનામાં ઉપકારી, જેમકે અહિંસા-સંયમ-બ્રહ્મચર્ય ઇત્યાદિ ફ્લદાયી છે. હિંસા, અસંયમ, અબ્રહ્મ ઇત્યાદિ દુર્ગતિદાયક છે. જીવાજીવાદિ સત્ પદાર્થો તેને હિતકારી-વ્યથાસ્થિત પ્રત્યાયન કરાવવા દ્વારા ઉપકારી-જેમકે આત્મા દેહવ્યાપી છે, લોક ચૌદ રજૂપ્રમાણ છે. એથી વિપરીત તે અસત્ય-આત્મા નથી, કર્મ નથી, પરલોક નથી; અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય આદિ ફ્લદાયી નથી; આત્મા સર્વ વ્યાપી છે; લોક સાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે; ઇત્યાદિ મોક્ષમાર્ગને પ્રતિકૂળ, આરાધનાને અટકાવનાર, તથા પદાર્થોનો વિપરીત બોધ કરાવનારાં વચનો અસત્ય છે. અશોકવન, આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ મિશ્રભાષા છે. અશોક વનમાં અશોકના વૃક્ષો છે તે અંશમાં સત્ય, અને અશોક સિવાયનાં પણ વૃક્ષો છે તે અંશમાં સત્ય નથી. તે જ રીતે આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ વાક્યોમાં પણ સત્યાસત્યનું મિશ્રણ હોવાથી મિશ્ર છે. ગામ ખરાબ છે એમ કહેવાથી ગામના પ્રત્યેક માણસ ખરાબ છે એમ નહિ, પણ ઘણાખરાં ખરાબ છે, એટલો જ એનો અર્થ વ્યવહાર ચલાવવા માટે કે સ્વરૂપમાનનું પ્રતિપાદન કરવા માટે હે ! અરે ! ઇત્યાદિ સંબોધન; આવ ! જા ! ઇત્યાદિ આજ્ઞા; આમ કરવું જોઇએ, આમ ન કરવું જોઇએ ઇત્યાદિ વિધિદર્શાવનાર વાક્યો વ્યવહારભાષા છે. એમાં કોઇ પણ વસ્તુનું પ્રતિષ્ઠાપન, ઉમૂલન કે તે બંનેને કરવાનો ભાવા નથી, કિન્તુ તે સિવાય વ્યવહાર માત્ર ચલાવવાનો એક વિલક્ષણ ભાવ છે. અનુભય-અસત્યામૃષા ભાષાના બાર પ્રાર Page 149 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy