________________
(૧) આમંત્રણ - શ્રોતૃઅવધાનજનક હે ! અમે ! ભો ! ઇત્યાદિ. (૨) આજ્ઞાપની - કરવા નહિ કરવા સંબંધી આજ્ઞાવચન. (૩) યાયની - ઇચ્છિત પદાર્થની પ્રાર્થના પરક વચન.
(૪) પૂછની - ક્યાંથી આવ્યો ? ક્યાં જઇશ ? જીવ કેટલા ? અજીવ કેટલા ? ઇત્યાદિ પ્રસ્નાત્મક વચન.
(૫) પ્રજ્ઞાપની - વિનીતને કર્તવ્યનું પ્રતિપાદન કરનાર વિધિવચન. (૬) પ્રત્યાખ્યાની - “પાપ નહિ કરું' ઇત્યાદિ નિષેધ પ્રતિજ્ઞાવચન.
(0) ઇરછાનુલોમાં – “આ કરું છું” “આ કરો” “વિલંબ ન કરો” “પ્રતિબંધ ન કરો” “જહાસુહં દેવાણુપ્રિયા' ઇત્યાદિ ઇચ્છાનુકુળ વર્તવા માટે કહેવામાં આવતાં વચનો.
(૮) અનભિગ્રહિતા - કોઇ એકનું પણ અવધારણ નહિ કરનાર યદચ્છમાત્ર મૂલક “ડિત્ય' પવિત્યાદિ' પદો.
(૯) અભિગૃહિતા - કોઇ એકનું પણ અવધારણ કરાવનાર ઘટાદિ પદો.
(૧૦) સંશયકરણી – સૈઘવમાનય | સેન્ડવને લાવ. સેન્ડવ એટલે લવણ પણ થાય અને ઘોડો પણ થાય-બેમાંથી એકનો નિશ્ચય નહિ કરાવનાર અનેક અર્થ અભિધાયક પદો.
(૧૧) વ્યાકૂતા -પ્રકટાર્થવાળી ભાષા છે-જેમકે આ દેવદત્તનો ભાઇ છે અને યજ્ઞદત્તનો જમાઇ
છે.
(૧ર) અધ્યાક્તા - અતિ ગંભીર અને મહાન અથવાલી જેનો તાત્પયથિ સહેલાઇથી ન સમજી શકાય તેવી ભાષા, અથવા સ્પષ્ટ જ્ઞાન કરાવનારી મોટા માણસોની ભાષા તે “વ્યાકૃતા' કહેવાય છે. અને અસ્પષ્ટ જ્ઞાન કરાવનારી બાલકાદિની ભાષાને “અવ્યાકૃતા' કહેવાય છે.
ઉપર્યુક્ત ચારે પ્રકારની ભાષા દેવ, નારકી અને મનુષ્યને તથા શિક્ષા અને લબ્ધિ સહિત સારિકાદિ તિર્યંચોને સંભવે છે. શિક્ષા એટલે સંસ્કાર-વિશેષ-જનક પાઠ અને લબ્ધિ એટલે જાતિસ્મરણ અથવા વ્યવહાર-કૌશલ્ય-જનક ક્ષયોપશમ વિશેષ. વિકલેન્દ્રિયાને માત્ર ચોથી. વ્યવહારભાષા હોય છે. તેમનો સખ્યપરિજ્ઞાનભૂષિત કે પરવચનાદિદૂષિત અભિપ્રાય હોતો નથી તેથી સત્ય, અસત્ય, કે તે બેના સંમિશ્રણરૂપ મિશ્ર ભાષા હોતી નથી. વળી વિકલેન્દ્રિય તથા શિક્ષા અને લબ્ધિ રહિત પંચેન્દ્રિય તિર્યંચોને અવ્યક્ત ભાષા હોય છે, તથા વિલક્ષણ ભાષા વર્ગણાના દલિકથી જન્ય હોય છે, તેથી પણ તેમને ક્રોધ-નિ:સૂતાદિ ભાષાઓ ઘટતી નથી.
ભાષાવણાના લો
જૈનદર્શન ભાષાને ઇતર દર્શનોની જેમ આકાશના ગુણાદિ સ્વરૂપ નહિ પણ પીગલિક દ્રવ્ય સ્વરૂપ માને છે. આઠ પ્રકારની જીવને ગ્રહણ યોગ્ય પૌગલિક વર્ગણાઓ છે, તેમાં “ભાષા” એ પણ એક વર્ગણા છે. તે જીવને ગ્રહણ યોગ્ય અને સૂક્ષ્મ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શવાલા અનંત પ્રદેશી ઢંધોથી બનેલી ભાષાવર્ગણાઓ લોકમાં ઠાંસીને ભરેલી હોય છે. તે ભાષાવર્ગણાના અનંતપ્રદેશી ઢંધો આત્મશક્તિ દ્વારા પ્રેરિત થઇને વચનરૂપમાં પરણિત થાય છે. ભાષાવર્ગણાના દ્રવ્યોને આત્મા કાયયોગવડે ગ્રહણ કરે છે, વાયોગરૂપે પરિણત કરે છે, અને ઉર:
Page 150 of 211