SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિનય, નમ્રતાનું પાલન કરવાનું હોય છે. આ માટે વિચારવું કે (૧) પૂર્વના પુરુષસિંહોની આગળ જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં, વિધામંત્રશક્તિમાં આપણે તે કોણ માત્ર છીએ કે ગુમાન કરીએ ? (૨) ત્યારે એવી આપણામાં કઇ મોટી યોગ્યતા આવી ગઇ છે કે કયા મોટા સુકૃત કર્યા છે કે ગર્વ કરીએ ? (૩) આપણી કઇ દોષરહિત યા મૃત્યુરહિત સ્થિતિ બની છે કે જેથી માનનો દાવો રાખીએ ? (૪) તેમ જ ગર્વ કરવાથી કયો આત્મગુણ પોષાય કે વધે છે ? (૫) અભિમાનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પૈકી કોનો પર્યાય વધે છે કે પુષ્ટ થાય છે ? કોઇનો નહિ. (૬) કર્મ ખપાવવા હતા તેથી આપણા પ્યારા પ્રભુએ અનંત બળ છતાં સંગમ ગોવાળિયા આગળ ક્યાં જરાય ગુમાન દાખવ્યું હતું ? ઉલટું મૌનપણે એનો ત્રાસ સહ્યો હતો. ઇત્યાદિ વિચારી ગર્વ અકડાશ ત્યજી બહુ જ નમ્ર અને મૃદુ બનવાની જરૂર છે. મૃદુતામાં હૃદય કોમળ હોવાથી અનેક ગુણો આવે છે, ગુરુઆદિ પાસેથી વિદ્યા વગેરે મળે છે, સૌનો પ્રેમ જીતાય છે “વિનય વૈરીને વશ કરે છે” નવો કર્મબંધ થતો નથી પાછળથી પસ્તાવું પડતું નથી; વગેરે લાભો પણ અનેક મળે છે. માટે મહાજ્ઞાની, મહાપ્રભાવક, મહાતપસ્વી વગેરે પૂર્વમહર્ષિઓને યાદ કરી ગર્વ જરાય નહિ રાખવાનો. 3 - ઋજુતા ત્રીજા યતિધર્મ “હજુતા'માં માયા-કપટનો ત્યાગ અને હૃદયની સરળતા આવે, આ લાવવા અહિં ધ્યાનમાં લેવાનું છે કે (૧) પ્રપંચ અને દાવપેચથી હૈયું બગડે છે આત્માના સુસંસ્કાર બગડે છે એથી ભવિષ્ય બગડે છે. (૨) પૂર્વ જન્મોમાં સેવેલી માયાનું ફળ ગીરોળી, બીલાડી, વગેરેના જીવનમાં દેખાય છે. એનું આખું જીવન છળ પ્રપંચથી અંધારામાં કે ઓથે છૂપાઇ રહી શિકારને ઝંખ્યા કરે, અને અવસર આવે શિકારને જાનથી મારે, એ જ ને ? લગભગ ચોવિસ કલાક એજ વેશ્યા, વિચારો પાપકર્મના કેવા થોકનાથોક ઉપાતા હશે. આ માયાથી એનું ભાવિ ભયંકર છે. (૩) અહિં કેટલો કાળ જીવવું છે ? ભાવી અસંખ્ય કાળની અપેક્ષાએ બહુ થોડાને ? એવા અતિથોડા કાળમાં માયા સેવી શા માટે ભાવી અસંખ્યકાળ બગાડવો ? (૪) માયાથી લોકનો વિશ્વાસ ગુમાવવો પડે છે, હૈયામાં શલ્ય રહે છે, બહુકાળ ચિંતા અને દુર્ગાનમાં જાય છે, અને હલકાં, તિર્યંચ વગેરેના અવતાર અને ત્યાં ઘોર પાપ સેવવાનું નક્કી થાય (૫) માયા કરવાથી કંઇક દુન્યવી લાભ મળ્યો એમ લાગતા એ માયા પર કર્તવ્યની મહોરછાપ અને સારાપણાનો સિક્કો લગાડી મિથ્યાત્વના ખાડામાં ગબડી પડાય છે. (૬) માયા તો સંસારની માતા કહી છે. ઇત્યાદિ અનેક અનર્થો માયાના જાણી તેનો સત્વર સદાને માટે ત્યાગ કરી સરળતા, ભદ્રકતા, બાજુતાનો જ સ્વભાવ બનાવી દેવો જોઇએ. માયા તજવાથી અને સરળ હૃદયી પણે Page 136 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy