________________
સાધુના સ્વાંગમાં હોવા છતાં પણ, સ્વચ્છન્દચારી જેવા હોઇ, સ્વ-પરનું ધાર્યું શ્રેય સાધી શકતા નથી. પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓ રૂપ આઠ માતાઓ પ્રતિ જેઓ બેદરકાર બન્યા હોય, તેઓએ પોતાના શ્રેય માટે પણ દરકારવાળા બનવું એ જરૂરી છે. અન્યથા, અમુક કષ્ટો સહવા છતાં પણ, સંસારપરિભ્રમણ ઉભું જ રહે છે એમ નહિ, પણ વધેય છે. ચારિત્રગાનને પેદા કરનારી, એનું પાલન-પોષણ કરી એને વૃદ્ધિને પમાડનારી અને અતિચાર મલના સંશોધન દ્વારા તેને નિર્મલ કરનારી એવી પણ માતાઓ પ્રત્યે, ચારિત્રધર હોવાનો દાવો કરનારાઓને પણ ભક્તિ ન જાગે, તો એ ખરેખર તેઓની કારમી કમનશિબી જ છે. એ કમનશિબી સંસારમાં લાવનારી છે. સાધુવેષને પામેલા આત્માઓએ પણ સમજવું જોઇએ કે-ઉત્તમ પાત્ર તરીકે વર્ણવતા યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અન્વિત જોઇએ, તેમ તેઓ ઇર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાનનિક્ષેપ-સમિતિ અને પારિષ્ટાપનિકા-સમિતિ –આ પાંચ સમિતિઓને ધારણ કરનારા તેમજ મનોગુપ્તિ, વાગૂતિ અને કાયમુર્તિથી શોભતા હોવા જોઇએ. પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓને આઠ માતાઓ તરીકે જણાવીને, ઉપકારિઓએ સાધુઓને સાચા માતૃભક્ત બનવાનો ઉપદેશ આપ્યો છે. દુનિયામાં પણ માતૃભક્ત જ શોભાને પામે છે, તેમ ચારિત્રધરની સાચી શોભા આ. માતાઓની ભક્તિથી જ છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર એવી જે યતિઓની ચેષ્ટા, એને ઉપકારી મહાપુરૂષો સમ્યફચારિત્ર કહે છે : આથી સ્પષષ્ટ જ છે કે-એથી હીન એવી જે ચેષ્ટાઓ તે દુષ્યરિત્ર છે અને ભાવવૃદ્વિનું કારણ છે. જેના યોગે ચારિત્રનું જનત, પરિપાલન અને સંશોધન છે, એવી આ આઠ માતાઓ પ્રત્યે ચારિત્રનો અર્થી બેદરકાર રહી શકે જ નહિ. આમ છતાં આજે ભામટાની જેમ ભમનારાઓ પણ પોતાને ઉત્તમ પાત્રની કક્ષામાં ગણાવી, પૂજાવાને ઇચ્છે છે, એ તેઓની પણ કમ હીનતા નથી.
સ, આ વર્ણન થવાથી રેલવિહાર વિગેરે કરનારા અને રાત્રે પણ જ્યાં-ત્યાં ભટકનારા તથા ખાવા-પીવા વિગેરેમાંય વિવેકહીન બનેલા યતિઓને જેઓ માનતા હશે, તેમને પોતાની ભૂલ સમજાશે.
ભૂલ સમજાય અને સુધારાય એ ઉત્તમ જ છે : પરન્તુ એય ઉત્તમ આત્માઓને માટે જ શક્ય છે. અયોગ્ય આત્માઓને તો રોષ ન ઉપજે તોય ઘણું કહેવાય. જે લોકોને કેવળ દુન્યવી કલ્યાણની જ કાંક્ષા છે અને દેવ-ગુરૂ-ધર્મ આદિ જે આવે તેને જેઓ પોતાના દુન્યવી કલ્યાણનું જ કારણ બનાવવા મથ્યા કરે છે, તેઓ ઉત્તમ પાત્ર રૂપ મુનિઓના સાચા ઉપાસક બની શકે એ શક્ય નથી. એવાઓ તો મંત્ર-તંત્રાદિ કરનારા અને દાત્મિક્તાથી વર્તનારાઓના સહજમાં શિકાર બની જાય છે. આમ છતાં આવા વર્ણનથી યોગ્ય આત્માઓને લાભ થવાનો ય ઘણો સંભવ છે અને આ પરિશ્રમ પણ મુખ્યત્વે સ્વહિત સાથે તેઓના હિતની દ્રષ્ટિએ જ છે. શ્રી જિનોપદિષ્ટ ધર્મ વિના પરમ કલ્યાણનું બીજું એક પણ સાધન નથી. આટલી સામગ્રી પામવા છતાં પણ શ્રી જિનોપદિષ્ટ ધર્મની શક્ય આરાધનાથી વંચિત રહેવાય, એ ઘણું જ દુઃખદ લાગવું જોઇએ. દુન્યવી લાલસાઓને વશ બનીને વેષધારિઓને પૂજવા અને સુસાધુઓની સેવાથી વંચિત રહેવું, એ તો અતિશય ભયંકર છે. આ વસ્તુને સમજવા માટે જરાય બેદરકાર રહેવું જોઇએ નહિ.
ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા
Page 123 of 211