SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ નિદ્રાના લેનારા પણ કાયપ્તિના પાલક જ છે. વળી એ રીતિએ, ચાલવા અને બેસવા તથા વસ્તુઓને મૂકવા-લેવાના વિધિ મુજબ વર્તનારા મહાત્માઓ પણ કાયગુપ્તિના પાલક ગણાય છે. આ પ્રકારના ગુપ્તિના વર્ણનથી તમે સમજી શકશો કે-મન, વચન અને કાયાના નિરોધને ધ્યેય રૂપ રાખી, મન, વચન અને કાયાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી, એ મન, વચન અને કાયાની ગુપ્તિ છે. સ્વચ્છદચારી આત્માઓને તો આ ગુતિઓનું સ્વપ્ર પણ શક્યા નથી. મુનિઓની આઠ માતાઓ : આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓ, એ તો મુનિઓની માતાઓ છે, એમ અનંત ઉપકારિઓ માવે છે. દુનિયાના પ્રાણિઓ એક જ માતાથી પાલન-પોષણ પામે છે. ત્યારે શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ આઠ આઠ માતાઓથી પાલન-પોષણ પામે છે. શરીરને પેદા કરનારી, તેનું પરિપાલન કરનારી અને વારંવાર તેનું સંશોધન પણ કરનારી માતા કહેવાય છે. આ આઠ માતાઓ પણ મુનિઓના શરીરને પેદા કરે છે, તેનું પાલન કરે છે અને તેને શોધનપૂર્વક નિર્મલ બનાવે છે. સંસારિઓ ગુગલના પિંડને પોતાનું શરીર માને છે, ત્યારે એ શરીરને જેલ રૂપ માનતા. મહર્ષિઓ ચારિત્રને જ પોતાનું શરીર માન છે. પુદગલપિંડ રૂપ શરીરને પેદા કરનારી માતા એક જ હોય અને અપવાદ સિવાયના લોકોના એ શરીરને પાળનારી તથા સાફ્યુફ રાખનારી પણ એક જ માતા હોય છે : જ્યારે દરેકે દરેક મુનિઓના ચારિત્ર રૂપ અંગને જણનારી, તેનું પોષણ કરનારી અને એ શરીર ઉપર લાગતા અતિચાર રૂપ મલોને શોધનારી આઠ આઠ માતાઓ છે. એ માતાઓ મુનિઓના ચારિત્રગાનનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરેલા એ ગાત્રનું સર્વ પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા તથા પોષણ દ્વારા વૃદ્ધિ પમાડીને પરિપાલન કરે છે : અને અતિચાર રૂપ મલથી મલિન થયેલા એ ગાલને સાફૂંફ બનાવીને નિર્મલ કરે છે. આવી આઠ આઠ માતાઓ જે મુનિઓને મળી છે અને જેઓ એ માતાઓના ભક્ત છે, એ મુનિઓના સુખનો કોઇ પાર જ નથી. મુનિઓએ માતૃભક્ત બનવું જોઇએ - માતા વિનાનાં બાળકો જગતમાં જેવી હાલત ભોગવે છે, તેના કરતાં પણ આ આઠ માતાઓ વિનાના બનેલા વેષધારી મુનિઓની ખરાબ હાલત થાય છે. આ આઠ માતાઓના જ તનને સ્વચ્છદપણે ફેંકી દેનારા વેષ ધારિઓ ઉભય લોકથી કારમી રીતિએ ભ્રષ્ટ થાય છે. દુનિયામાં તો માતા વિનાના બનેલાં બાળકોના પણ અન્ય પાલકો પુણ્યોદય હોય તો મળી આવે છે, પણ આ આઠ માતા વિનાના બની ગયેલા મુનિઓને તો તેમના ચારિત્રગાત્રનું કોઇ પણ પાલક મળતું નથી. દુનિયાનાં બાળકો માતાનાં ભક્ત ન હોય એ છતાં પણ, દુન્યવી માતાઓ મોહાંધ હોવાથી, એવાં નાલાયક બાળકોની પણ સંભાળ લે છે : જ્યારે આ માતાઓ એવી નહિ હોવાથી, મુનિઓ જો માતૃભક્ત હોય તો જ તેઓ માતાઓ તરફ્ટી પાલન આદિને પામ છે. વધુમાં, દુન્યવી માતાઓ ધારે તો પણ પોતાના બાળકનું ધાર્યું પાલન કરવાને અસમર્થ છે, જ્યારે આ માતાઓ પોતાના ભક્ત પુત્રોનું ધાર્યું પાલન-પોષણ આદિ કરીને તેઓને અનંત સુખના ભોગી બનાવી શકે છે. અનન્ત ઉપકારી મહાપુરૂષોએ માવેલી આવી ઉત્તમ જાતિની માતાઓના અભક્ત બનેલા સાધુઓ, Page 122 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy