SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વાગુપ્તિમાં સર્વથા વાણીનો નિરોધ પણ આવે છે અને સમ્યફપ્રકારે વાણીની પ્રવૃત્તિ પણ આવે છે. શાસ્ત્રવિધિ મુજબ સારી રીતિએ બોલનારા ભાષાસમિતિના પણ પાલક છે અને વાગ્ગતિના પણ પાલક છે. શાસ્ત્રજ્ઞા મુજબ બોલવાને સ્થાને પણ જેઓ મૌન રહી પોતાના આત્માને વચનગુપ્તિના ઉપાસક મનાવવા ઇચ્છે છે, તેઓ શ્રી વીતરાગપરમાત્માના શાસનને સાચી રીતિએ સમજ્યા હોય એમ માનવું, એ પણ ઠીક નથી. ઉપકારિઓ તો સાફ શબ્દોમાં ક્રમાવે છે કે-શાસ્ત્રવિહિત બોલનાર પણ ગુપ્તિના ઉપાસક જ છે. એ જ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે “समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो । कुसलवयमुईरंतो, जं वइगुत्तो वि समिआ वि ।। १ ।।" અર્થાત - સમિતિના આસેવક નિયમા ગુપ્તિના આસેવક છે, જ્યારે ગુપ્તિના આસેવક સમિતિના આસેવક હોય પણ ખરા અને ન પણ હોય : કારણ કે-કુશલ વાણીના બોલનારા મહર્ષિ વાગુપ્તિથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સમિત પણ છે. આવા સ્પષ્ટ માનને જાણવા છતાંય જેઓ જરૂરી પ્રસંગે પણ કુશલ વાણી બોલવાના અખાડા કરી, પોતાની જાતને વચનગુપ્તિના ધારક તરીકે ઓળખાવતા હોય, તેઓ અસત્યવાદી હોવા સાથે દમ્પના પણ પૂજારી છે, એ તદન સ્પષ્ટ થઇ જાય છે. બે પ્રકારે કયગુતિ હવે કાયમુર્તિ પણ બે પ્રકારની છે : એક કાયાની ચેષ્ટાઓના સર્વ પ્રકારે નિરોધ રૂપ અને બીજી સ્ત્ર મુજબ ચેષ્ટાના નિયમ રૂપ : એટલે કે-સ્વછંદ ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ અને જરૂરી ચેષ્ટા પણ સૂત્રના માવેલ વિધિ મુજબ કરવી જોઇએ. (૧) બે પ્રકારની કામગુણિમાં જે પહેલા પ્રકારની કામગુણિ છે, તે “ચેષ્ટાનિવૃત્તિલક્ષણા' કહેવાય છે. દેવો, મનુષ્યો અને તિર્યંચો તરફ્લી કરવામાં આવતા ઉપદ્રવો રૂપી ઉપસર્ગો અને સુધા, પિપાસા આદિ પરિષહોના યોગે અથવા તો એ ઉપસર્ગો અને પરિષદો-તેના અભાવમાં પણ પોતાની કાયાના નિરપેક્ષતાલક્ષણ ત્યાગને ભજતા મહાત્માની જે સ્થિરીભાવ રૂપી નિશ્ચલતા અથવા તો યોગનિરોધ કરતા મહર્ષિએ કરેલો સર્વ પ્રકારે શરીરની ચેષ્ટાનો પરિહાર, આ પ્રથમ પ્રકારની કાયમુર્તિ છે. ઘણાએ મહર્ષિઓ ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગમાં કાયોત્સર્ગમાં રહી કાયાને નિશ્ચલ રાખી આરાધનામાં રક્ત બને છે, એ પણ કાયમુર્તિ છે અને યોગનિરોધ કરતા પરમર્ષિ સર્વથા ચેષ્ટાનો પરિહાર કરે એ પણ કાયમુર્તિ છે. ટૂંકમાં આ પ્રથમ પ્રકારની કાયમુર્તિમાં કાયાની પ્રવૃત્તિના સર્વથા ત્યાગ હોય છે. (૨) બીજા પ્રકારની કાયમુર્તિમાં શરીરની સ્વચ્છદ ચેષ્ટાનો જ પરિહાર હોય છે અને આવશ્યક ચેષ્ટા શાસ્ત્રની આજ્ઞા મુજબની હોય છે. મુનિઓએ સૂવું ક્યારે અને કેવી રીતિએ તેમજ ચાલવું ક્યારે અને કેવી રીતિએ ? –આ બધી બાબતોમાં પરમોપકારિઓએ વિધિ ઉપદેશ્યો છે. એ વિધિ મુજબ સુનારા, બેસનારા અને ચાલનારા મુનિઓ પણ કાયમુર્તિના પાલકો જ છે. ગ્લાનપણું માર્ગનો થાક અને વૃદ્ધાવસ્થાની શિથિલતા આદિ કારણ સિવાય, દિવસે નિદ્રાનો નિષેધ છે. એ મુજબ દિવસના નિદ્રા નહિ લેનારા અને રાત્રિએ પણ પ્રથમ પ્રહર આજ્ઞા મુજબની આરાધનામાં વીતાવ્યા બાદ, ગુરૂને પૂછીને, પ્રમાણયુક્ત વસતિમાં વિધિ મુજબની સઘળીય ક્રિયાઓ કરી વિધિ Page 121 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy