SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मारामं मनस्तज्झै-मनोगुप्तिरुदाहता ।। १ ।।" અર્થાત્ - મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ-કલ્પના જાલની વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં સ્મરણ કરતું આવા પ્રકારનું જે મન, તેને મનોગુપ્તિ માવી છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુક્ત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ: શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધા કરનારી માધ્યચ્ચ પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનતું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોગુપ્તિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે. બે પ્રકારની વાગૂતિ : હવે બીજી છે-વાગ્રુતિ. એના પ્રકાર બે છે. (૧) મુખ, નેત્રો, ભૃકુટિનો વિકાર, અંગુલિઓથી વગાડવામાં આવતી ચપેટિકા તથા પત્થરનું ફ્લવું, ઉંચા થવું, બગાસું ખાવું અને હુંકાર-આ આદિ ચેષ્ટાઓના ત્યાગપૂર્વક મીના રહેવાનો અભિગ્રહ કરવો, એ પહેલા પ્રકારની વચનગુપ્તિ છે. જેઓ મૌનની પ્રતિજ્ઞા કરવા છતાં પણ, ચેષ્ટા આદિથી પોતાનાં પ્રયોજનોને સૂચવે છે, તેઓનું મૌન નિળજ છે : કારણ કે-મૌનનો જે હેત છે તે ચેષ્ટા આદિ દ્વારા પ્રયોજનોને સચવવાથી શરતો નથી. વાણીથી થતાં કામો ચેષ્ટા આદિથી કરનારાઓનું મૌન, એ નામનું જ મૌન છે. પ્રથમ પ્રકારની વાન્ગતિ રૂપ મોન, સંસારની પ્રવૃત્તિઓમાં મગ્દલ બનેલાઓ માટે શક્ય નથી. આત્મકલ્યાણમાં હેતુભૂત એવું ઉમદા જાતિનું મૌન તો, સાંસારિક પ્રવૃત્તિઓથી પર રહેલા આત્માઓ માટે જ શક્ય છે. આત્મહિતમાં બાધક એવી પૌગલિક પ્રવૃત્તિઓમાં પોતાને અને બને તેટલા પ્રમાણમાં બીજાઓને પણ જોડનારા આત્માઓ, આવા મૌનના ભાવને સમજવા માટે પણ નાલાયક છે. (૨) હવે બીજા પ્રકારની વાગૃપ્તિ. તત્ત્વજ્ઞાનની વાચના દેવામાં, તત્ત્વજ્ઞાનના સમ્બન્ધમાં પ્રશ્ન કરવામાં અને કોઇએ કરેલા પ્રશ્નનો ઉત્તર દેવામાં, લોક અને આગમનો વિરોધ ન આવે એ રીતિએ મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદન કરીને બોલતા એવા પણ મહાત્મા, વાણીના નિય—ણવાળા જ મનાય છે. આત્મકલ્યાણ કરનારી વાણી વિધિ મુજબ બોલવી, એ પણ વચનગુપ્તિ છે. પહેલી વચનગુપ્તિ એ છે કે-બોલવું જ નહિ અને બીજી વચનગુપ્તિ એ છે કે-બોલવું પણ તે તાત્ત્વિક જ અને તે પણ લોક તથા આગમનો વિરોધ ન આવે એ રીતિએ તથા મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદન કરીને જ. અર્થાત્ નહિ બોલવું એ જેમ વચનગુતિ છે, તેમ હિતકર એવું વચન અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ બોલવું એ પણ વચનગુપ્તિ છે. અવસરે બોલવું જ જોઇએ: આ બન્નેય પ્રકારની વચનગુપ્તિઓને જાણ્યા પછી સમજાશે કે-વાગુપ્તિનું સ્વરૂપ એકલું ના બોલવું એ જ નથી, પણ સર્વથા વાણીનો નિરોધ એ જેમ વાગુપ્તિનું સ્વરૂપ છે, તેમ સમ્યભાષણ કરવું એ પણ વાગૃતિનું જ સ્વરૂપ છે. આથી ભાષાસમિતિ અને વાગૂFિઆ બેમાં ફ્રેક શો છે, તે પણ સમજાઇ જશે. ભાષા સમિતિમાં સમ્યફ પ્રકારની વાણીની પ્રવૃત્તિ જ માત્ર આવે છે, ત્યારે Page 120 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy