________________
શકાય. ઇષ્ટ વસ્તુ પણ દુન્યવી સુખ માટે ઇચ્છવી, એ ખરાબ જ છે. વળી મુનિઓ તા નિર્જરાના જ અર્થી હોય, એટલે મુનિઓએ તો દુન્યવી વિચાર માત્રથી મનને રોકવું જોઇએ અને એ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે.
(૨) બીજા પ્રકારની મનોગુપ્તિનું વર્ણન કરતાં પણ ઉપકારિઓએ માવ્યું છે કે-શાસ્ત્રોને અનુસરનારી, પરલોકને સારા રૂપમાં સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી એવી જે માનસિક માધ્યસ્થ પરિણતિ, એ બીજા પ્રકારની મનોગુપ્તિ છે. શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ આ મનોતિને પામ્યા નથી અને પામશે પણ નહિ. ધર્મધ્યાન, એ એક એવી વસ્તુ છે કે-સઘળાય આત્મકલ્યાણના વિચારો એમાં સમાવિષ્ટ થાય છે. આ માધ્યચ્ચ પરિણતિ પણ અનુપમ કોટિની હોય છે. સાચા-ખોટાનો શંભુમેળો કરાવનારી મૂર્ખતા રૂપ આ માધ્યચ્ચ પરિણતિ નથી. એવી માધ્યચ્ચ પરિણતિ તો અજ્ઞાનોએ માનેલી હોય છે. આવી મનોગુપ્તિ, કે જે પરમ શુદ્ધ માધ્યચ્ચ પરિણતિ રૂપ છે અને જેમાં સત્ય સત્ય રૂપે અને અસત્ય અસત્ય રૂપે સ્પષ્ટતયા ભાસમાન થાય છે, તે જ આદરણીય છે. માધ્યચ્ચ પરિણતિ વસ્તુને શુદ્ધ સ્વરૂપે ઓળખાવા માટે શુદ્ધ આરિસા જેવી છે. એવી માધ્યચ્ચ પરિણતિ શાસ્ત્રાનુસારિણી જ હોય, એ જ કારણે એ સુદર એવો જે પરલોક તેને સાધનારી હોય અને એથી જ એ ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી હોય : આ રીતિએ જોતાં સઘળાય કલ્યાણ વિચારો જેમાં સમાય છે, એવા સુંદર પ્રકારના ધ્યાનની એ જડ નાખનારી છે. આ કારણે મુનિઓ આ બીજા પ્રકારની મનોગતિથી પણ શોભતા જ હોય.
(૩) ત્રીજા પ્રકારની મનોગુપ્તિ તો યોગ-નિરોધાવસ્થામાં હોય છે. એ ત્રીજા પ્રકારની મનોગતિમાં કુશલ અને અકશલ મનોવૃત્તિનો નિરોધ હોય છે. એ ઉભય પ્રકારનો મનો નિરોધ દ્વારા કેવળ સંપૂર્ણ આત્મરમણતા જેમાં હોય, એવી એ ગુપ્તિ છે. આ ગુક્તિ પામવા માટે પ્રથમની બે પ્રકારની મેનું આસેવન ખૂબ જ આવશ્યક છે. પુગલના રસિઆ અને પુગલના સંગમાં આનન્દ માનતા આત્માઓ માટે આ પ્રકારની મનોગુપ્તિ સદાને માટે અત્તેય જ છે. ત્રીજી ગુપ્તિો પામ્યા પછી આત્મા મુક્તપ્રાય: જ ગણાય છે. એવા આત્માનો સંસારકાલ ઘણો જ અલ્પ હોય છે. આ દશા પામવા માટે જ પ્રથમની બે ગુપ્તિઓ આવશ્યક છે અને આ દશા પામવાના ધ્યેય સિવાય પ્રથમની બે ગુક્તિઓ આવવી, એ પણ શક્ય નથી. કેવું મન મનોસુમિ ?
- આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેકને માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનોગુણિને ધ્યેય રૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુવેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોગુપ્તિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોકુતિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે
“विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
Page 119 of 211