SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ દ્વારા મહાવ્રતો ભાવિત કરાય છે, એટલે કે ગુણવિશેષવાળાં બનાવાય છે, તે ભાવનાઓ છે. ક્રમે કરીને પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલાં મહાવ્રત કોને અવ્યય પદ નથી સાધી આપતાં ? અર્થાત્ - આ પાંચેય મહાવ્રતો પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયાં થકાં કોઇને પણ શ્રી સિદ્વિપદ સાધી આપે છે. મહાવ્રતો સારી રીતિએ વહન કરાય તો જ શ્રી સિદ્ધિપદને આપનારાં થાય અને એ માટે આ ભાવનાઓ જરૂરી છે, માટે આ ભાવનાઓ દ્વારા પાંચે મહાવ્રતો રૂપ પર્વતોના મહાભારને સારી રીતિએ વહન કરવામાં આત્માને પ્રવણ બનાવવાની જરૂર છે. એ વિના બે પ્રકારના ધર્મમાં પ્રથમનો જે ‘ સુસાધુધર્મ’ તેનું પાલન શક્ય નથી, માટે આત્માને તેવો બનાવવા આ ભાવનાઓનું ખૂબ ખૂબ પરિશીલન કરવું એય જરૂરી છે. દશવિધ સામાચારી સંબંધી સમજણ ઃ દશવિધ સામાચારી કોને કહેવાય છે ? ૧-ઇચ્છાકાર, ૨-મિચ્છાકાર, ૩-તથાકાર, ૪-આવશ્યકી, ૫-નૈષધિકી, ૬-આપ્રચ્છના, ૭-પ્રતિ×ચ્છના, ૮-છંદના, ૯-નિમંત્રણા અને ૧૦-ઉપસમ્પદ્ -આ દશ પ્રકારે સામાચારી કહેવાય છે. કરણીય પ્રવૃત્તિ આજ્ઞાદિના યોગે કરવી અને સ્વતઃ કરવાની ઇચ્છા જન્મે એથી કરવી, એ બે વચ્ચે ભેદ છે. કરણીય પ્રવૃત્તિમાં સ્વતઃ ઇચ્છાથી જ પ્રવૃત્ત થવું, એનું નામ છે- ‘ઇચ્છાકાર’ અન્ય કોઇ મહાત્મા પાસેથી કામ લેવું હોય ત્યારે આજ્ઞા નહિ કરતાં એમ કહેવું કે- ‘તમારી ઇચ્છા હોય તા કરી આપો' –એનું નામ પણ ઇચ્છાકાર કહેવાય છે. સાધુજીવનમાં અતિજરૂરી દશવિધ સામાચારી સ. સાધુજીવનમાં હંમેશા દશ પ્રકારની સામાચારીનું પાલન કરવા તરફ ખૂબજ લક્ષ રાખવાનું હોય છે. તે દશ પ્રકાર આ પ્રમાણે છે ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષેધિકી, આપ્રચ્છના, પ્રતિપ્રચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા. (૧) ઇચ્છાકાર- મુનિ-જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય પોતેજ બજાવવાનાં છે. પરંતુ જો (૧) અમુક કાર્ય માટે પોતે અશક્ત હોય, અથવા (૨) એની આવડત ન હોય, અથવા (૩) શક્તિ અને આવડત બન્ને હોવા છતાં કોઇ ગ્લાનની સેવા આદિ કાર્યમાં પોતે રોકાયેલ હોય. તો પોતાનું કાર્ય બીજા પાસે કરાવવાનું રહે. તેમ જો બીજાની એ સ્થિતિ હોય, તો પોતે એનું કાર્ય કરી શકે, પરંતુ નહિકે ગમે તેમ. કેમ કે કારણ વિના કરવા-કરાવવામાં સુખશીલતા, પ્રમાદ, ધિઠ્ઠાઇ, વગેરે દોષ પોષાવાનો સંભવ છે. હવે બીજાનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં તેને પૂછવું જોઇએ કે ‘તમારી ઇચ્છા હોય તો હું આ કાર્ય કરૂં.' જો સામો અનિચ્છા બતાવે તો એના કાર્યમાં બલાત્કારે હાથ ન ઘલાય. આનું નામ ઇચ્છાકાર સામાચારીનું પાલન કહેવાય. ઇચ્છાકાર સુહ રાઇથી ઇચ્છાકારેણ સંદિસહ વગેરે સુત્રમાં પણ પહેલી ઇચ્છા પૂછવાનું કરાય છે, એ આ સામાચારીનું Page 103 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy