SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીનો દાખલો મૂક્યો. એ એવો કે-એને ઘરે બીજા બળાત્કારે પૈસા મૂકી ગયા હોય, તેનાય પૈસા ડૂબે નહિ એની એને ચિન્તા હોય. આજે વેપારી વર્ગ આબરૂ ગુમાવી છે, એટલે જ ઓળખીતી નહિ એવી બેન્કમાં ધૂમ નાણું આવે છે અને વેપારી સુપ્રસિદ્ધ હોય છતાં એને માગ્યું નાણું મળતું નથી. તમે પૂછશો કે- “આબરૂદાર અને પ્રમાણિક વેપારી જો પોતે સમજતો હોય કે હું ખોટમાં બેઠો છું; તો વેપાર કેમ બંધ કરે નહિ ? પેઢી અને બંગલો કેમ વેચી નાખે નહિ ?” પણ એનાથી એ એકદમ બને એવું હોય નહિ. એ તો બધું ઉભું રાખીને દેવામાંથી છૂટવા મથતો હોય. એ કાંઇ કોઇનું ડૂબાવવાને માટેની પેરવીમાં ન હોય. એમ, સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરતો હોય તો પણ, પાપથી છૂટવાના મનવાળો હોય. એને સ્વપ્રમાં પણ પાપમાં પડ્યા રહેવાનું મન અગર પાપ કર્યે જવાનું મન હોય નહિ. સમ્યગ્દષ્ટિઓમાં કોણ ક્યું આયુષ્ય બાંધે? ચોથે ગુણસ્થાનકે બેઠેલો અને પાંચમે ગુણસ્થાનકે બેઠેલો સખ્યદ્રષ્ટિ હોય ને ? સમ્યગ્દર્શન વિના ચોથું ને પાંચમુ સંભવે જ નહિ ને? એ ગુણઠાણે રહેલો જીવ સંસારમાં બેઠો હોય ? વિષયનું સેવન એ કરતો હોય ? પરિગ્રહધારી એ હોય ? ષકાયની હિંસા એ કરતો હોય ? એ બધું એ કરતો હોય, તે છતાં પણ “એવું બધું કરવું એ એકાંતે ખરાબ જ છે.” -એવું એના હૈયે બેઠું હોય ? તો, આવો જીવ નરકગતિનું કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધે ? નહિ ને ? દેવલોકનું આયુષ્ય એ બાંધે અને તે પણ વૈમાનિકનું જ બાંધે ને ? ચોથે-પાંચમે બેઠેલા એટલે વિષયસેવન કરનારા ખરા ? પરિગ્રહ રાખનારા ખરા ? ષકાયની હિંસા કરનારા ખરા ? છતાં પણ એ સમ્યગ્દષ્ટિ હોવાને કારણે વૈમાનિકમાં જ જાય ? સ, તિર્યંચ સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિક જ થાય ? તિર્યંચ મરીને દેવલોકે ન જ જાય એવું નથી. તિર્યચપણામાંથી દેવલોકનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જનારા તો ઘણા. દેવલોકનો મોટો ભાગ તો તિર્યચપણામાંથી દેવલોકને પામલા દેવોથી ભરાય છે. તિર્યચોમાં પણ સારા હૈયાવાળા જીવો હોય છે. એટલે, તિર્યંચ એવો પણ જે સમ્યગ્દષ્ટિ જીવ, તે પણ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. માત્ર સમ્યગ્દષ્ટિ દેવતાઓ અને સમ્યદ્રષ્ટિ નારકો દેવાયુ બાંધે નહિ પણ મનુષ્યાય બાંધે. દેવ ચ્યવીને તરત દેવ થાય નહિ. નારક પણ નરકમાંથી નીકળીને સીધો દેવ બની શકે નહિ. પાપના ડર વિના સખ્યત્વ આવે નહિ વાત એ છે કે-વિષય સુખને ભોગવનારા, પરિગ્રહ રાખનારા અને ષકાયની હિંસાદિ પાપકરણીઓ કરનારા, એવા જે જીવો, એમાં એવા પણ જીવો હોય ને કે જે જીવોને “હું આ ખોટું કરૂં છું અને ક્યારે હું આનાથી છૂટું ?' –એવું હૈયે હોય ? જીર્ણ જવર નામનો રોગ જેને લાગુ પડે છે, તેને ખાવાની રૂચી થાય નહિ. શરીર એનું તૂટ્યા કરે. કોઇ વાતમાં એને ચેન પડે નહિ. બીજાને ભલે એ ન જણાય, પણ જેને જીર્ણ જવરનો રોગ થયો હોય, એ “મને રોગ થયો છે.” –એ વાતને ક્યારેય ભૂલી શકે ? કાઇ એને કહે છે - “ભલા માણસ ! કહેતો કેમ નથી કે મને રોગ થયો છે ?' તો એ કહે કે- “કોને કહું?' કહું તોય મારૂં કહ્યું કદાચ મનાય નહિ. એને બદલે કોઇને કહેવું નહિ અને Page 87 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy