________________
મુક્તિસુખ સ્વાધીન બની જાય છે.” –એ વાત પાપકરણી કરનારા સમ્યગ્દષ્ટિ જીવોને માટે પણ બરાબર બંધબેસતી છે, એમ લાગ્યા વિના રહે નહિ. ખોટમાં બેઠેલો આબરૂદાર અને પ્રમાણિક વેપારી સુખ-સાહ્યબી ભોગવતે ભોગવતે પણ મનમાં દુઃખી હોય
પાપ કરવા છતાં પણ “આ પાપ હું સંયોગવશ કરું છું અને હું જે આ પાપ કરું છું તે ભૂંડું કરું છું.' –એવું મનમાં લાગ્યા જ કરે અને કોઇપણ સંયોગોમાં “પાપ પાપ કર્યો કાંઇ ચાલે ?' –એવો વિચાર સરખોય જેમને આવે નહિ, એવા જીવ આ સંસારમાં કેટલા ? વિષયસેવન કરતે કરતે પણ “આ પાપ છે.” -એવું જેમના મનમાં બેઠું હોય એવા જીવો કેટલા ? ખોટમાં બેઠેલો વેપારી ચાલીસ હજારની મોટરમાં તો હોય, આલીશાન બંગલામાં બેઠો હોય અને સુખસાહ્યબીની ગણાતી સામગ્રીથી વીંટળાયેલો હોય, તો પણ એના મનમાં શું હોય ? અહીંથી સમાચાર આવે કે-ગાબડું પડ્યું; ત્યાંથી સમાચાર આવે કે-ખોયા; એમ જ્યાં જ્યાં ધંધો લઇ બેઠો હોય, ત્યાં ત્યાં કાણું પડી રહ્યું છે, એવા સમાચાર આવતા જતા હોય, ત્યારે એ બહારથી ગમે તેવો લાલચોળ દેખાતો હોય, તો પણ મહીં એ સુખી હોય કે દુ:ખી ? દુ:ખી જ ને ? તેમ, જીવ હોય સમ્યગ્દષ્ટિ પણ તે અવિરતિના જોરદાર ઉદયવાળો હોય, તો એ જીવ હિંસાદિક એકેય પાપથી વિરામ પામેલો ન હોય અને પાપકરણી કર્યા કરતો હોય, એવું તો બને; પણ એનો મનોભાવ કેવો હોય ? અંદર તો એને એમ જ થતું હોય ને કે- “આ પાપથી ક્યારે છૂટાય !”
સ, દંભી કહે.
તે આ ક્યાં કોઇને કહેવા જવાની વાત છે ? તમે તમારી અણસમજથી કોઇને ખોટી રીતિએ દંભી માનવાની ભૂલ કરો નહિ અને ગુણની આશાતના કરો નહિ, તોય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશો ? એ વેપારી તમારી સાથે ચા ટેસ્ટથી પીતો જણાતો હોય, પણ એના હૈયામાં શું હોય ઊંડે ઊંડે ? એના હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તો તમે એના હૈયામાં રહેલા દુ:ખને જાણી શકો નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશો ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિંમત બધાથી વધુ હોય અને આબરૂ ન જાય તેની ચિન્તા હોય, એવા વેપારોની આ વાત છે. આજના મોટા ભાગના વ્યાપારિઓના જેવા વેપારીની આ વાત નથી. પારકો પૈસો દેવાની જિને ચિત્તા નથી, એવાની આ વાત નથી. ‘અપાશે તો ઠીક છે, નહિ તો બુધવારિયા કોર્ટમાં જઇશું.' –એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની આ વાત નથી. તમે સમજી ગયા ને કે-નફ્ટની તો આ વાત જ નથી ? જેને કોઇ પણ હિસાબે કોઇનુંય ધન પોતાથી ન ડૂબે એની અને આબરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશો કે-એ દંભી છે ? ચોથું અને પાંચમું ગુણઠાણું ગૃહસ્થ માટે છે. સગ્દર્શનને નહિ પામેલા પણ માગનુસારી આત્માઓને પણ
જ્યારે જ્યારે પોતાને અણછાજતું કરવું પડે ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હોય છે; તો પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઇ પણ પાપ આચરવું એ ગમે, એ બનવાજોગ છે ? અને, પાપા આચરવું નહિ ગમતું હોવા છતાં પણ જે પાપ આચરે, તે દંભી છે ? તમે અસત્ય બોલો, તો તે તમે લહેરથી બોલો છો, એમ માનવું ? તમે વિષયસેવન કરો, તો તે તમે લહેરથી કરો છો, એમ માનવું ? અસત્ય બોલવું તમને ગમતું ન હોય, વિષયસેવન કરવું તમને ગમતું ન હોય, એવું બને જ નહિ
Page 86 of 197