________________
મારૂં દર્દ મારે ભોગવવું સારૂં ! એમ, સમ્યદ્રષ્ટિને હૈયે પોતાથી પાપ ન છૂટે એનું દુઃખ હોય ન ? આ સમજાયા વિના, ‘સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે છતે નરક ને તિર્યંચગતિનાં દ્વારો બંધ અને દેવતાઇ સુખો તથા માનુષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન.' -આ વાત હૈયામાં જે રીતિએ જચવી જોઇએ, તે રીતિએ જયશે નહિ. વિષયસેવન એ પાપ છે ? હા ને ? પરિગ્રહ એ પાપ છે ? એમાંય હા ને ? અને, ષટ્કાયની હિંસા એ વગેરે પણ પાપ છે ? આમાં પણ હા જ ને ? આ બધાં પાપ તમારે કરવાં પડે છે ? હાસ્તો ! પણ, એનું તમને દુઃખ છે ? હા ને ? આમાં તમે ‘હા’ કહો, એમાં દંભ છે ? આ દુઃખ નહિ હોય તો તે આત્મામાં સમજ પ્રગટાવીને પેદા કરવું પડશે. આ પ્રકારનું પાપના અણગમાને લઇને પેદા થતું દુ:ખ પ્રગટ્યા વિના સમ્યક્ત્વ આવવાનું નથી. પાપનો ડર પેદા થયા વિના સમ્યક્ત્વ આવે ? ન જ આવે ને ? ત્યારે, સમ્યદ્રષ્ટિને પાપનો ડર ન હોય, એ બને ખરૂં ?
ફરજ તો સાધુ
થઇને મોક્ષ સાધવાની
અનન્તજ્ઞાનિઓએ જેને જેને ખરાબ કહ્યું છે એ બધુ ખરાબ જ લાગવું અને ત આચરવું પડતું હોય તોપણ એને છોડવાનુ મન સદા બન્યું રહેવું, એ સહેલું છે ? સમ્યદ્રષ્ટિ આત્મા દુનિયાએ જેમાં જેમાં સુખ માન્યું છે, તેમાં તેમાં દુ:ખ જુએ છે. દુનિયા જેને સારૂં માને છે, તેને એ જીવ ખરાબ માને છે. દુનિયા જેને સુખની લાલચને આધીન બનીને ભોગવવામાં ગાંડો બને છે, તેને આ ભોગવે છે તોય તેને તત્કાલિન દુઃખનું શમન કરવાના ઉપાય તરીકે ભોગવે છે અને તેય પાપ રૂપ છે એમ માનીને ભોગવે છે. આવા ઉત્તમ જીવને નરકગતિમાં શી તાકાત કે ખેંચી શકે ?તમે સંસારમાં બેઠા છો અને ભોગાદિ ભોગવો છો, પણ એનું તમારે મન સુખ છે કે દુઃખ છે ?
21. સુખય ન લાગે અને દુઃખેય ન લાગે, પણ જ સમજીને કરીએ તો ? આમાં વળી જ શાની આવી ? તમે હાથે કરીને ભૂતાવળ ઉભી કરી છે કે તમારૂ મન નહિ
છતાં આવીને વળગી છે ? એમ કહો કે-એવા સંયોગોમાં બેઠા છીએ કે જેથી થોડીક ચિન્તા કરવી
પડે છે, પણ મન તો બધા સંગથી છૂટી જવાનું છે. ખરી જ તો મનુષ્યપણું પામીને સાધુપણું પામવાની છે અને સાધુપણાને પામીને ઝટ મોક્ષે પહોંચી જવાની છે. એ જ સૂજતી નથી અને તમે જે સંસાર ખેડવાનું પાપ કરો છો, તેથી પાપના આચરણને જમાં ખેંચી જવું છે ? આપણા રાગ-દ્વેષ આપણી પાસે વિષય-ભોગાદિ કરાવે અને તે પછી આપણે જના નામે એને જો વળગી રહીએ, તો છૂટીએ ક્યારે ? પણ, અંદર બેઠેલો સંસારનો જે રાગ છે, તે ઘેલા જીવને આવી રીતિએ સમજાવીને બાંધી રાખે છે. એવો જીવ વસ્તુતઃ તો સંસારના સુખમાં જ સુખ માનતો હોય એવું પ્રાયઃ હોય છે. ઘર વેચીને વરો કરવાનો હોય નહિ
સમ્યક્ત્વ પામવા માટે તો ‘સંસારના સુખમાં જ સુખ માનવાની અને સંસારમાં દુઃખ આવે એટલે કાયર થઇ જવાની' જે કુટેવ પડી ગઇ છે, તે કાઢવી પડશે. દુઃખમાં જે રોયા કરે અને સુખમાં જે હસ્યા કરે અને એમાં પાછો ડહાપણ માને, એ વળી સમ્યક્ત્વ પામે ? બહારના સુખમાં બહુ રાગ-દ્વેષવાળા બનનારા તો, જો સમ્યક્ત્વ પામ્યા હોય તોય તેને ગુમાવી બેસે. બહારના સુખ-દુઃખમાં બહુ રાગ અને બહુ દ્વેષ, એ તો સાધુપણાને પણ લૂંટી લેનારી ચીજ છે. અમે લોકો માન-પાન વગેરેમાં ફ્સાઇ પડીએ, તો પરિણામે સાધુપણું પણ જાય અને કદાચ સમ્યક્ત્વ પણ જાય.
Page 88 of 197