________________
કોઇ પણ પ્રકારનો ઉદય હોતો જ નથી.
ણના કાળમાં જીવ કેવા પ્રકારની સિદ્ધિ
અનિવૃત્તિ પ્રાપ્ત કરે છે-એ સંબંધી સૈદ્ધાન્તિક અભિપ્રાય ઃ
કાર્યગ્રન્થિક અભિપ્રાયે, સમ્યક્ત્વના પરિણામને પામનારો અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો દરેકે દરેક જીવ આવી રીતિએ, પહેલાં તો ઔશપમિક સમ્યક્ત્વના પરિણામને જ પામે છે; જ્યારે આ બાબતમાં, સૈદ્ધાન્તિક અભિપ્રાય એવો છે કે-સમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા બધા જ જીવો, પહેલાં ઔપશમિક સમ્યક્ત્વ જ પામે-એવો નિયમ નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો, ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામે, એવું બને છે. એટલે કે-સમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા જે જીવો, તે પૈકીના જે જીવો ઔપશમિક સમ્યક્ત્વને પામનારા હોય, તે જીવો આવા જ પ્રકારે ઔપશમિક સમ્યક્ત્વને પામે; પરન્તુ, સમ્યક્ત્વને પામનાર અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોમાં એવા જીવો પણ હોઇ જ શકે છે, કે જે જીવો ઔપશમિક સમ્યકત્વને નહિ પામતાં, અનિવૃત્તિકરણ દ્વારાએ ક્ષાયોપશમિક સમ્યક્ત્વને જ પામે છે. સૈદ્ધાન્તિક અભિપ્રાયે, જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામનારા હોય છે, તે જીવો પોતાના અનિવૃત્તિકરણના કાળમાં, પોતાના અનિવૃત્તિ કરણ દ્વારાએ, ઔપશમિક સમ્યક્ત્વને પામનારા જીવોની પ્રક્રિયાના કરતાં જુદા જ પ્રકારની પ્રક્રિયા કરે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્તના કાળ દરમ્યાનમાં ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયનાં અને અનન્તાનુબંધી કષાયોનાં દળિયાંઓને તો એ જીવો ખપાવી જ નાખે છે; પરન્તુ, તે ઉપરાન્ત, એ જીવો જે કરે છે, તે એ કરે છે કે-સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં જે દળિયાં, તે દળિયાંના ત્રણ પુંજ બનાવી દે છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાં દળિયાંને શુદ્ધ એટલે મિથ્યાત્વ રૂપી મલથી મુક્ત બનાવી શકાય, તેટલાં દળિયાંને તો તેઓ શુદ્ધ જ બનાવી દે છે અને બાકી રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તેમાંથી જેટલાં દળિયાંને અર્ધશુદ્ધ જેવાં બનાવી શકાય તેમ હોય તેટલાં દળિયાંને તેઓ અર્ધશુદ્ધ જેવાં બનાવી દે છે. ‘અનિવૃત્તિ કરણ' નામના આત્મપરિણામથી, આ રીતિએ, જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં દળિયાંને શુદ્ધ બનાવી દેવાનો પ્રયત્ન કરે છે, પણ એ જીવ તે બધાં જ દળિયાંને પૂર્ણપણે શુદ્ધ કે છેવટ શુદ્ધાશુદ્ધ પણ બનાવી શકતો નથી; અને એથી, એવાં પણ દળિયાં સત્તામાં રહી જવા પામે છે, કે જે દળિયાંઓથી એ જીવનો શુદ્ધિકરણનો એ પ્રયત્ન સર્વથા અસ્પષ્ટ જ રહે છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાંનું આ રીતિએ શુદ્ધિકરણ કરતાં, એ દળિયાંના ત્રણ પુજ થઇ જાય છે. એક શુદ્ધ પુંજ, કે જે પુંજને સમ્યક્ત્વ મોહનીયનાં દળિયાંના પુંજ તરીકે ઓળખાય છે; બીજો મિશ્ર એટલે શુદ્વાશુદ્ધ પુંજ, કે જે પુંજને મિશ્ર મોહનીયનાં દળિયાના પુંજ તરીકે ઓળખાય છે; અને, ત્રીજો અશુદ્ધ પુંજ, કે જેને એના એ મિથ્યાત્વ મોહનીયના પુંજ તરીકે ઓળખાય છ. આ ત્રણે પુંજો પૈકીના શુદ્ધ એવા સમ્યક્ત્વ મોહનીયના પુંજને જ એ જીવ ઉદયમાં લાવે છે અને એ શુદ્ધ પુંજ રૂપ સમ્યક્ત્વ મોહનીયનો જે ઉદય, તેની અસરવાળો જીવનો જે પરિણામ, એ જ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ છે. એટલે, અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં, અનિવૃત્તિકરણ દ્વારાએ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ કરવા રૂપ પ્રક્રિયા કરે છે અને ત્યાં અનિવૃત્તિ
Page 76 of 197